લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા, I.N.D.I.A ગઠબંધનના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ રવિવારે ચૂંટણી પંચને મળ્યું. તેમણે EC પાસે પાંચ માગણીઓ મૂકી. અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, ‘અમે ગઠબંધનના નેતાઓ ત્રીજી વખત ચૂંટણી પંચ સમક્ષ ભેગા થયા છીએ. અમે ચૂંટણી પંચ સાથે અમારી ચિંતા વ્યક્ત કરી અને ચર્ચા કરી.
.N.D.I.A. એલાયન્સ ડેલિગેશનમાં અભિષેક મનુ સિંઘવી, ડી રાજા, રામ ગોપાલ યાદવ, સંજય યાદવ, નાસિર હુસૈન, સલમાન ખુર્શીદ અને સીતારામ યેચુરી સામેલ હતા. આ પછી એનડીએ ગઠબંધનના નેતાઓ પણ ચૂંટણી પંચને મળવા પહોંચ્યા હતા. શનિવારે I.N.D.I.A. જૂથના નેતાઓએ 4 જૂન માટે બેઠક કરી હતી અને રણનીતિ બનાવી હતી. બેઠક બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે તેઓ રવિવારે ચૂંટણી પંચને મળશે અને કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરશે. વિરોધ પક્ષોએ તેમના એજન્ટોને મત ગણતરી પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવા સૂચના આપી છે. તેઓ એ પણ સુનિશ્ચિત કરશે કે દરેક મતદાન મથકમાં નોંધાયેલા મતોનો ડેટા ધરાવતું ફોર્મ 17C તેમની સાથે શેર કરવામાં આવે.
પાંચ માગણીઓ…..
પહેલી: EVM પરિણામો પહેલા પોસ્ટલ બેલેટના પરિણામો જાહેર કરવા જોઈએ., બીજી: ગણતરી નિયમો મુજબ થવી જોઈએ, સુપરવાઈઝરોએ આ નિયમોનો અમલ કરવો જોઈએ., ત્રીજી: મત ગણતરી પર સીસીટીવી દ્વારા દેખરેખ રાખવી જોઈએ અને કંટ્રોલ યુનિટની ચકાસણી કરવી જોઈએ.
ચોથી: મશીનમાંથી આવતા ડેટાની પુષ્ટિ થવી જોઈએ., પાંચમી: જ્યારે EVM સીલ કરવામાં આવે છે, ત્યારે તેની ચકાસણી કરવા માટે કાઉન્ટિંગ એજન્ટો હોય છે. મતગણતરી દરમિયાન તેની પુષ્ટિ થવી જોઈએ.






