રિઝર્વ બેંકે છેલ્લે ફેબ્રુઆરી ૨૦૨૩માં રેપો રેટ વધારીને ૬.૫ ટકા કર્યો હતો. ત્યારથી, તેણે સતત ૮ વખત રેપો રેટ ૬.૫% પર જાળવી રાખ્યો છે. બેંકોની EMI રેપો રેટ સાથે જોડાયેલી છે. આવી સ્થિતિમાં હાલમાં સામાન્ય લોકોની EMIમાં કોઈ ફેરફાર થશે નહીં.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીએ ત્રણ દિવસની બેઠક બાદ રેપો રેટને વર્તમાન દરે જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. દર નિર્ધારણ સમિતિએ સતત આઠમી વખત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. અગાઉ, કેન્દ્રીય બેંકે છેલ્લે ફેબ્રુઆરી ૨૦૨૩માં રેપો રેટ વધારીને ૬.૫ ટકા કર્યો હતો. બેંકોની EMI રેપો રેટ સાથે જોડાયેલી છે. આવી સ્થિતિમાં, રેપો રેટમાં કોઈ ફેરફાર ન હોવાથી, એ નક્કી કરવામાં આવ્યું છે કે તમારી બેંક લોનની EMIમાં હાલમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
RBI ગવર્નર શક્તિકાંત દાસના જણાવ્યા અનુસાર, MPCના છમાંથી ૪ સભ્યો રેપો રેટમાં કોઈ ફેરફારની તરફેણમાં ન હતા. નવા નાણાકીય વર્ષની આ બીજી MPC મીટિંગ છે અને હાલમાં રેપો રેટ ૬.૫૦ ટકા પર સ્થિર છે. રિઝર્વ બેંકે છેલ્લે ફેબ્રુઆરી ૨૦૨૩માં વ્યાજ દરમાં ફેરફાર કર્યો હતો અને તેને ૨૫ બેસિસ પોઈન્ટ વધારીને ૬.૫૦ ટકા કર્યો હતો. ત્યારથી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.