રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું હૈદરાબાદની એક હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું. ઈનાડુ અને રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું આજે સવારે સ્ટાર હોસ્પિટલમાં સારવાર દરમિયાન સવારે 3.45 કલાકે નિધન થયું.
રામોજી રાવ હાઈ બ્લડ પ્રેશર અને શ્વાસ ફૂલવાની સમસ્યા બાદ 5 જૂનનાં રોજ હૈદરાબાદનાં નાનાકરામગુડાની સ્ટાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ર્ડાક્ટરોએ રામોજીને બચાવવાની ખૂબ જ કોશિષ કરી હતી તેમજ તેઓનાં હાર્ટમાં સ્ટેટ પણ લગાવવામાં આવ્યું હતું. તેમને આઈસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. પરંતું તેમની હાલત બગડતી જ ગઈ હતી. આજે સવારે તેઓ આ દુનિયાને અલવિદા કહી દીધી. રામોજીએ ઘણા સમય પહેલા આંતરડાનાં કેન્સનું સફળતા પૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું. રામોજી રાવ લાંબા સમયથી જૂની બીમારી તેમજ ઉંમર સબંધીત સ્વાસ્થ્યની સમસ્યાઓ સામે ઝઝુમી રહ્યા હતા.
રામોજીએ સાધારણ શરૂઆત થી ખૂબ જ મોટી સફળતા સુધી સફર ખૂબ જ પ્રેરણાદાયી છે. 16 નવેમ્બર 1936 નાં રોજ આંધ્ર પ્રદેશનાં કૃષ્ણા જીલ્લાનાં પેડાપારૂપુડી ગામમાં એક કિસાન પરિવારમાં રામોજી રાવનો જન્મ થયો હતો. તેમણે દુનિયાનો સૌથી મોટો થીમ પાર્ક અને ફિલ્મ સ્ટૂડિયો, રામોજી ફિલ્મ સીટી બનાવી હતી. જે બાદ બિઝનેસ એમ્પાયરમાં માર્ગાદારસી ચિટ ફંડ, ઈનાડું ન્યૂઝ પેપર, ઈટીવી નેટવર્ક, રામાદેવી પબ્લિક સ્ટૂલ, પ્રિયા ફ્રૂડ્સ, કલંજલિ, ઉષાકિરણ મૂવીઝ, મયૂરી ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર્સ અને ડોલ્ફિન ગ્રુપ ઓફ હોટલ્સનો સમાવેશ થાય છે.
એક મોટા મીડિયાનાં રૂપમાં રામોજી રાવે તેલુગુ રાજનીતિ પર મહત્વપૂર્ણ પ્રભાવ પાડ્યો હતો. કેટલાક રાજ્ય અને રાષ્ટ્રીય નેતાઓ સાથે તેમને ખૂબ જ સારા સબંધ હતા. જેઓ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર તેમની સલાહ લેતા હતા. પત્રકારિત્વ, સાહિત્ય, ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ અને શિક્ષામાં તેમનું ખૂબ જ યોગદાન રહ્યું છે. ભારત સરકારે તેમને 2016 માં દેશનાં બીજા સૌથી મોટા નાગરિક પુરસ્કાર, પદ્મ વિભૂષણથી સમ્માનિત કર્યા હતા.