લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ભારતીય સેનાના નવા વડા બનશે. તેઓ 30 જૂને જનરલ મનોજ પાંડેનું સ્થાન લેશે. ઉપેન્દ્ર દ્વિવેદીએ લાંબા સમયથી જમ્મુ-કાશ્મીરમાં સેવા આપી છે. આ વર્ષે 19 ફેબ્રુઆરીએ ઉપેન્દ્ર દ્વિવેદીએ આર્મી સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. અગાઉ દ્વિવેદી 2022-2024 સુધી ઉત્તરી કમાનના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફનું પદ સંભાળી રહ્યા હતા.
ઉપેન્દ્ર દ્વિવેદી મધ્યપ્રદેશના રીવા સ્થિત સૈનિક સ્કૂલનો વિદ્યાર્થી રહી ચૂક્યા છે. 39 વર્ષથી વધુની તેમની કારકિર્દી દરમિયાન તેમણે સમગ્ર દેશમાં પડકારજનક વાતાવરણમાં કમાન્ડિંગ હોદ્દાઓ સંભાળ્યા છે. તેણે કાશ્મીર ખીણ તેમજ રાજસ્થાનમાં યુનિટની કમાન સંભાળી હતી. તેઓ ઉત્તર પૂર્વમાં આતંકવાદ વિરોધી વાતાવરણમાં આસામ રાઈફલ્સના સેક્ટર કમાન્ડર અને ઈન્સ્પેક્ટર જનરલ રહી ચૂક્યા છે.
ઉપેન્દ્ર દ્વિવેદી પણ સરહદ વિવાદના મુદ્દાને ઉકેલવા માટે ચીન સાથેની વાતચીતમાં સામેલ હતા. ભારતીય સેનાના સૌથી મોટા કમાન્ડના આધુનિકીકરણમાં પણ યોગદાન આપ્યું છે. તેમણે માઉન્ટેન ડિવિઝન, સ્ટ્રાઈક કોર્પ્સ અને આર્મી હેડક્વાર્ટરમાં પણ મહત્વના પદો પર કામ કર્યું છે. તેમણે સુરક્ષા દળોને આધુનિક હથિયારોથી સજ્જ કરવામાં પણ યોગદાન આપ્યું છે.