Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

રશિયામાં યહૂદીઓના પ્રાર્થનાસ્થળ પર આતંકી હુમલો: 18થી વધુ પોલીસકર્મીઓના મોત

આતંકવાદીઓએ પાદરીનું ગળું કાપી નાખ્યું તો રશિયન સુરક્ષા દળોએ 6 આતંકીઓને ઠાર કર્યા

dharmendravaghela by dharmendravaghela
2024-06-24 11:34:52
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

રશિયામાં યહૂદી પ્રાર્થના સ્થળ અને ચર્ચ પર આતંકી હુમલો થયાની ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ આ હુમલામાં 17 પોલીસકર્મીઓ અને એક પૂજારી સહિત ઘણા લોકોના મોત થયા છે જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આતંકવાદીઓએ પાદરીનું ગળું કાપી નાખ્યું હતું. જવાબી કાર્યવાહીમાં રશિયન સુરક્ષા દળોએ 6 આતંકીઓને ઠાર કર્યા હતા. રશિયાના દાગેસ્તાનમાં હજુ પણ સૈન્ય કાર્યવાહી ચાલી રહી છે. આ આતંકી હુમલો દાગેસ્તાન પ્રાંતના બે શહેરોમાં થયો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આતંકવાદીઓએ ચર્ચ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જોકે હજુ સુધી આ આતંકી હુમલાની જવાબદારી કોઈ સંગઠને લીધી નથી. હુમલા બાદ રશિયન સેનાએ પોતાની સ્થિતિ જાળવી રાખી છે. સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. આતંકીઓની શોધ ચાલી રહી છે. શહેરના તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. આ હુમલા બાદ લોકો ડરી ગયા છે. રશિયાના રસ્તાઓ પર ટાંકી અને વિશેષ દળો તૈનાત છે. છેલ્લા 9 કલાકથી ઓપરેશન ચાલી રહ્યું છે. આ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોમાં સાત અધિકારીઓ, એક પાદરી અને એક ચર્ચ સુરક્ષા ગાર્ડનો સમાવેશ થાય છે. દાગેસ્તાનના બે શહેરો ડર્બેન્ટ અને મખાચકલામાં થયેલા આ આતંકવાદી હુમલા બાદ સોમવાર, મંગળવાર અને બુધવારને શોકના દિવસો જાહેર કરવામાં આવ્યા હતા.
આતંકવાદીઓએ એક સાથે બે ઓર્થોડોક્સ ચર્ચ પર હુમલો કર્યો હતો. સાંજની પ્રાર્થના બાદ આતંકવાદીઓ ચર્ચમાં ઘૂસ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, આતંકીઓએ ચર્ચમાં ઓટોમેટિક હથિયારોથી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આતંકવાદીઓએ 66 વર્ષના એક પાદરીનું ગળું કાપીને હત્યા કરી નાખી. ફાધર નિકોલે છેલ્લા 40 વર્ષથી ચર્ચમાં સેવા આપી રહ્યા હતા. આતંકવાદીઓએ યહૂદી ધર્મસ્થાન સિનાગોગ પર પણ ગોળીબાર કર્યો હતો. આ તરફ હવે મખાચકલામાં બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. આ હુમલા બાદ રશિયન કમાન્ડો એક્શનમાં છે.

Tags: 18 plus diedrussiaterrorist attack
Previous Post

ભાવનગરમાં નિકળનારી જગન્નાથજી રથયાત્રા અંતર્ગત ભગવાનને જળનો અભિષેક કરાયો

Next Post

આવી પહોંચી મેઘ સવારી : એકથી લઈ સાડા ત્રણ ઈંચ વરસાદ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
આવી પહોંચી મેઘ સવારી : એકથી લઈ સાડા ત્રણ ઈંચ વરસાદ

આવી પહોંચી મેઘ સવારી : એકથી લઈ સાડા ત્રણ ઈંચ વરસાદ

ટી-20 ક્રિકેટનું ગેરકાયદે સ્ટ્રીમિંગ-સટ્ટાનો પર્દાફાશ : બેની ધરપકડ

ટી-20 ક્રિકેટનું ગેરકાયદે સ્ટ્રીમિંગ-સટ્ટાનો પર્દાફાશ : બેની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.