Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ધર્માંતરણ ચાલુ રહ્યું તો બહુમતી સમુદાય લઘુમતી બની જશે

અલ્‍હાબાદ હાઇકોર્ટે ધર્માંતરણ સાથે જોડાયેલા એક કેસમાં આકરી ટિપ્‍પણી કરી

dharmendravaghela by dharmendravaghela
2024-07-02 12:03:10
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અલ્‍હાબાદ હાઈકોર્ટે કહ્યું કે જો ધર્માંતરણ જે રીતે થઈ રહ્યું છે તે રીતે ચાલુ રહેશે તો દેશની બહુમતી વસ્‍તી લઘુમતી બની જશે. કોર્ટે કહ્યું કે સમગ્ર ઉત્તર પ્રદેશમાં SC/ST અને આર્થિક રીતે ગરીબ લોકોનું ખ્રિસ્‍તી ધર્મમાં ગેરકાયદે ધર્માંતરણ મોટા પાયે થઈ રહ્યું છે. જસ્‍ટિસ રોહિત રંજન અગ્રવાલે ધર્મ પરિવર્તનના આરોપી કૈલાશની જામીન અરજી ફગાવી દેતા આ ટિપ્‍પણી કરી હતી.
અલ્‍હાબાદ હાઈકોર્ટે ધર્મ પરિવર્તનને લઈને ખૂબ જ ગંભીર ટિપ્‍પણી કરી છે. કોર્ટે કહ્યું છે કે જો ધાર્મિક મેળાવડામાં ધર્મ પરિવર્તનનો સિલસિલો ચાલુ રહેશે તો એક દિવસ ભારતની બહુમતી વસ્‍તી લઘુમતી બની જશે. હાઈકોર્ટે કહ્યું, ‘ધર્મ પરિવર્તન કરતી ધાર્મિક સભાઓ પર તાત્‍કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ. આવી ઘટનાઓ બંધારણની કલમ ૨૫ હેઠળ ધાર્મિક સ્‍વતંત્રતાના અધિકારની વિરૂદ્ધ છે. આ લેખ કોઈપણ વ્‍યક્‍તિને અનુસરવા અને પૂજા કરવાની તેમજ તેના ધર્મનો પ્રચાર કરવાની સ્‍વતંત્રતા આપે છે.’
ઉત્તર પ્રદેશમાં એક કેસમાં દાખલ કરવામાં આવેલી જામીન અરજીને ફગાવી દેતાં કોર્ટે કહ્યું હતું કે, ‘ધર્મનો પ્રચાર કરવાની સ્‍વતંત્રતા કોઈને ધર્મ પરિવર્તન કરવાની મંજૂરી આપતી નથી. ઉત્તર પ્રદેશમાં ધાર્મિક કાર્યક્રમો દ્વારા નિર્દોષ ગરીબ લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે અને તેમને ખ્રિસ્‍તી બનાવવામાં આવી રહ્યા હોવાનું પ્રકાશમાં આવ્‍યું છે. આવી સ્‍થિતિમાં ધર્મ પરિવર્તનના આરોપની ગંભીરતાને જોતા અરજદારને જામીન પર મુક્‍ત કરી શકાય નહીં.’ જસ્‍ટિસ રોહિત રંજન અગ્રવાલની ખંડપીઠે જામીન નામંજૂર કરવાનો આદેશ આપ્‍યો છે. આ કેસમાં કોર્ટે મૌદહા હમીરપુરના રહેવાસી અને હિંદુઓને ખ્રિસ્‍તી બનાવવાના આરોપી કૈલાશની જામીન અરજી ફગાવી દીધી હતી.
જામીન અરજી ફગાવી દેતાં કોર્ટે કહ્યું હતું કે, ‘બંધારણ ધર્મના પ્રચારની પરવાનગી આપે છે, પરંતુ ધર્મ પરિવર્તનની પરવાનગી આપતું નથી. અરજદાર સામે ગંભીર આરોપો છે. ગામના તમામ લોકો ખ્રિસ્‍તી ધર્મ અપનાવી ચૂક્‍યા છે.’ આ કેસમાં રામકલી પ્રજાપતિ વતી FIR દાખલ કરવામાં આવી હતી. રામકલીના કહેવા પ્રમાણે, કૈલાશ તેના માનસિક રીતે બીમાર ભાઈને એક અઠવાડિયા માટે દિલ્‍હી લઈ ગયો હતો. કૈલાશે રામકલીને કહ્યું હતું કે તે તેની સારવાર કરાવશે અને તેને ગામમાં પાછી લાવશે. રામકલીના કહેવા પ્રમાણે, તેનો ભાઈ લાંબા સમય સુધી પાછો ન આવ્‍યો અને જયારે તે આવ્‍યો, ત્‍યારે તે દિલ્‍હીમાં આયોજિત એક કાર્યક્રમમાં ગામના ઘણા લોકોને લઈ ગયો. અહીં તેમનો ધર્મ પરિવર્તન કરીને તેમને ખ્રિસ્‍તી બનાવવામાં આવ્‍યા હતા. તેના બદલામાં રામકલીના ભાઈને પૈસા આપવામાં આવ્‍યા.

Tags: Alhabad high courtdharam parivartan
Previous Post

ગુજરાતમાં ભાજપને હરાવી દેશે : રાહુલ ગાંધીનો ખુલ્લો પડકાર

Next Post

સેબીએ અદાણી ગ્રુપ મામલે હિંડનબર્ગને ૪૬ પાનાની નોટીસ ફટકારી

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
સેબીએ અદાણી ગ્રુપ મામલે હિંડનબર્ગને ૪૬ પાનાની નોટીસ ફટકારી

સેબીએ અદાણી ગ્રુપ મામલે હિંડનબર્ગને ૪૬ પાનાની નોટીસ ફટકારી

રાહુલ ગાંધી જેવું વર્તન ના કરતા : મોદી

રાહુલ ગાંધી જેવું વર્તન ના કરતા : મોદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.