ઉત્તરાખંડના ગઢવાલ ડિવિઝનમાં ભારે વરસાદને કારણે ચારધામ યાત્રા આજે રોકી દેવામાં આવી છે. બદ્રીનાથ-વિષ્ણુ પ્રયાગ નેશનલ હાઈવે પાસે ભૂસ્ખલનને કારણે રસ્તો બંધ થઈ ગયો છે. બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી છે. જમ્મુ-કાશ્મીરમાં શનિવારે ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી હતી.
આસામના 29 જિલ્લામાં વરસાદ અને પૂરના કારણે 23 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. અત્યાર સુધીમાં 58 લોકોના મોત થયા છે. 27 જિલ્લામાં 577 રાહત શિબિરો બનાવવામાં આવી છે. તેમાં 5 લાખથી વધુ લોકો રહે છે. કાઝીરંગા નેશનલ પાર્કમાં અનેક પ્રાણીઓને પણ અસર થઈ છે. 6 ગેંડા સહિત 114 પ્રાણીઓનાં મોત થયાં છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 13 લોકોના મોત થયા છે. રાહત વિભાગના જણાવ્યા અનુસાર, વીજળી પડવાને કારણે બે લોકોના મોત થયા છે, એક વ્યક્તિનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે, જ્યારે વરસાદ સંબંધિત ઘટનાઓમાં ત્રણ લોકોના મોત થયા છે.
આજે 5 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
IMD એ રવિવારે (7 જુલાઈ) પાંચ રાજ્યો – ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, કર્ણાટક અને 17 રાજ્યો – પંજાબ, હિમાચલ પ્રદેશ, બિહાર, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, આસામમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, કેરળ, ગોવામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.