આદિવાસીઓના તીર્થસ્થાન માનગઢમાં આજે યોજાયેલા આદિવાસી મહા સંમેલનમાં 4 રાજ્યોના 49 જિલ્લાનું વિલીનીકરણ કરી અલગ ભીલ પ્રદેશ બનાવવાની મંગ કરી છે. બાંસવાડાના ભારત આદિવાસી પાર્ટીના સંસદ રાજકુમાર રાઉતે કહ્યું કે અલગ ભીલ રાજ્યની માંગ નવી નથી. આ માંગ ને જોરદાર રીતે ઉઠાવીશુ. અને મહારેલી બાદ એક પ્રતિનિધિ મંડળ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને પ્રસ્તાવ સાથે મળશે.
દેશના 4 રાજ્યોના 49 જિલ્લાઓનું વિલીનીકરણ કરીને ભીલ પ્રદેશ બનાવવાની માગણીએ જોર પકડ્યું છે. આ માંગને લઈને ગુરુવારે સંતરામપુરના માનગઢ ધામમાં આયોજિત મહારેલીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી હજારો આદિવાસી સમાજના લોકો માનગઢ ધામ પહોંચ્યા હતા. જેને પગલે સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવાયા છે અને વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. માનગઢ ધામ, જ્યાં આ રેલી યોજાઈ તે આદિવાસીઓ માટે એક તીર્થસ્થાન સમાન છે અને ચારેય રાજ્યોના આદિવાસીઓ સાથે ભાવનાત્મક જોડાણ ધરાવે છે.