ભારત કંઇક મોટું કરવા જઇ રહ્યું છે કારણ કે ઓડિસાના બાલાસોરમાં સરકારે અંદાજે 10 હજારથી વધુ લોકોને અચાનક જ ખસેડી લીધા છે. ભારત સમયાંતરે અનેક મિસાઈલ પરીક્ષણો કરતું રહે છે, પરંતુ આ વખતે કંઈક મોટું થવાનું છે તેમ લાગી રહ્યું છે. સરકારે આજે બુધવારે યોજાયેલા મિસાઈલ પરીક્ષણને લઈને ઓડિશાના બાલાસોર (માં પરીક્ષણ સ્થળની આસપાસના 10,000 લોકોને વિસ્થાપિત કર્યા છે.
આજે ભારતમાં થઈ રહેલા આ મિસાઈલ પરીક્ષણ પર દરેક દેશ બારીકાઈથી નજર રાખી રહ્યા છે. તેનું એક કારણ એ છે કે ભારતે આ મિસાઈલની પ્રકૃતિ અને પ્રકાર અંગે કોઈ ખુલાસો કર્યો નથી. આ મિસાઈલ શેના માટે હશે, તેની વિશેષતા શું હશે, તેનો પ્રકાર શું હશે.
બાલાસોરના જિલ્લા વહીવટીતંત્રે બુધવારે હાથ ધરવામાં આવનાર મિસાઇલ પરીક્ષણ પહેલા 10 ગામડાઓમાંથી 10,000 થી વધુ લોકોને અસ્થાયી રૂપે અન્ય સ્થળોએ ખસેડ્યા છે. એક અધિકારીએ આ માહિતી આપી છે. એક સંરક્ષણ સૂત્રએ જણાવ્યું કે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ પણ ચાંદીપુર સ્થિત ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) ખાતે મિસાઈલ પરીક્ષણ માટે જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. તેમણે જણાવ્યું કે આ ટેસ્ટ ITRની લોન્ચ સાઇટ નંબર-3 પરથી કરવામાં આવશે. દરમિયાન, એક મહેસૂલ અધિકારીએ જણાવ્યું હતું કે બાલાસોર જિલ્લા વહીવટીતંત્રે મિસાઇલ પરીક્ષણ પહેલાં પ્રક્ષેપણ સ્થળની 3.5 કિમીની ત્રિજ્યામાં સ્થિત 10 ગામોમાંથી 10,581 લોકોને અસ્થાયી રૂપે સ્થાનાંતરિત કરવાની વ્યવસ્થા કરી છે.