શેખ હસીનાએ પણ રાજીનામું આપીને દેશ છોડી દીધો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા સુવેન્દુ અધિકારીએ મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે 1 કરોડથી વધુ હિન્દુઓ પશ્ચિમ બંગાળમાં આવી રહ્યા છે. તેમણે આ અંગે કેન્દ્રને જાણ કરવાની પણ અપીલ કરી છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત થયા છે. .
અધિકારીએ સોમવારે કહ્યું કે એક કરોડથી વધુ બાંગ્લાદેશી ભારતીયો ભારત આવી રહ્યા છે. તેમણે કહ્યું, ‘બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતીઓની હત્યા થઈ રહી છે. રંગપુર કાઉન્સિલરની હત્યા કરવામાં આવી હતી. સિરસાગંજમાં 13 પોલીસકર્મીઓ માર્યા ગયા, જેમાંથી 9 હિંદુ હતા. હવે તૈયાર થઈ જાઓ, કારણ કે 1 કરોડ બાંગ્લાદેશી હિન્દુઓ બંગાળ આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અધિકારીએ મુખ્યમંત્રી મમતા બેનર્જી અને રાજ્યપાલ સીવી આનંદ બોઝને આ સંદર્ભે કેન્દ્ર સાથે વાત કરવાની અપીલ કરી છે.
અધિકારીએ કહ્યું કે તે શરણાર્થીઓને નાગરિકતા સુધારા કાયદા (CAA) હેઠળ ભારતીય નાગરિકતા આપવી જોઈએ. તેમણે કહ્યું, “બાંગ્લાદેશમાં હિંદુઓનો નરસંહાર થઈ રહ્યો છે. જો આગામી થોડા દિવસોમાં બાંગ્લાદેશની સ્થિતિને કાબૂમાં નહીં લાવવામાં આવે તો બંગાળની જનતાએ 1947 કે 1971ના મુક્તિ યુદ્ધની જેમ એક કરોડથી વધુ શરણાર્થીઓને સ્વીકારવા તૈયાર રહેવું જોઈએ.