Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર અન્ય

યોગ: વૈશ્વિક સમરસતા, શાંતિ અને સૌહાર્દનું માધ્યમ : આઠમા યોગ દિવસની થીમ ‘માનવતા માટે યોગ’

આવતી કાલે રાજ્યના પ્રવાસન, ઐતિહાસિક તથા શૈક્ષણિક મહત્વ ધરાવતા ૭૫ આઇકોનિક સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષ ઉજવણી

aaspassdaily by aaspassdaily
2022-06-20 12:37:24
in અન્ય, સમાચાર
Share on FacebookShare on Twitter

૨૧ મી જૂન ઉત્તર ગોળર્ધનો સૌથી લાંબો દિવસ છે.

ભારતીય ધર્મ અને દર્શનમાં યોગનું ઘણું મહત્વ છે. આધ્યાત્મિક ઊર્જાની સાથે શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે યોગને બધા ધર્મો અને દર્શનોમાં ખુલ્લા મને સ્વીકારવામાં આવ્યો છે. યોગ એક શારીરિક, માનસિક અને અધ્યાત્મિક અભ્યાસ છે જે લોકોને શાંતિ પ્રદાન કરવાની સાથે પ્રકૃતિ સાથે જોડે છે. ભારત આદિકાળથી જ યોગગુરૂ રહ્યો છે. ભારતમાં યોગની પરંપરા સદીઓ જૂની છે. ભારત હંમેશા વૈશ્વિક સ્તરે યોગનો પ્રચાર – પ્રસાર કરી રહ્યું છે. આ પ્રચાર – પ્રસાર ત્યારે લેખે લાગ્યો જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૪માં યુનાઈટેડ નેશન્સની મહાસભામાં ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો અને મહાસભાએ વર્ષ ૨૦૧૫ થી દર વર્ષે ૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની ઘોષણા કરી હતી.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા ૨૧ મી જૂન પસંદ કરવામાં આવી હતી કારણ કે, ૨૧ મી જૂન ઉત્તર ગોળર્ધનો સૌથી લાંબો દિવસ છે. ભારતીય માન્યતા અનુસાર આ દિવસને ગ્રીષ્મ સંક્રાંતિ દિવસ માનવામાં આવે છે. સામાન્ય દિવસોની સરખામણીએ આ દિવસે સૂર્યના કિરણો સૌથી વધુ સમય સુધી પૃથ્વી પર રહે છે. યોગાભ્યાસમાં આ સમયને સંક્રમણકાળ કહે છે અને  સમયે યોગ કરવાથી ઘણો ફાયદો થતો હોય છે.આજે વિશ્વ યોગમય બની રહ્યું છે જેનો સંપૂર્ણ શ્રેય યોગની જન્મભૂમિ ભારતને જાય છે.

આ આઝાદીની લડત દરમિયાન મહર્ષિ અરવિંદ અને સ્વામી વિવેકાનંદે લોકોને આધ્યાત્મ અને યોગના માધ્યમથી વિશ્વ શાંતિનો સંદેશો આપ્યો હતો.યોગને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવા દેશના આધ્યાત્મિક યોગ ગુરુઓની મહત્વની ભૂમિકા રહી છે. આઝાદીની લડત દરમિયાન મહર્ષિ અરવિંદ અને સ્વામી વિવેકાનંદે લોકોને આધ્યાત્મ અને યોગના માધ્યમથી વિશ્વ શાંતિનો સંદેશો આપ્યો હતો. આજે વિશ્વના તમામ દેશોની ભાગીદારીથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે ભવિષ્યમાં યોગ વૈશ્વિક સમરસતા, શાંતિ અને સૌહાર્દનું મહત્વનું માધ્યમ બનશે.
દર વર્ષે અલગ અલગ થીમ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

યોગ દિવસ ‘માનવતા માટે યોગ’ (Yoga for Humanity)ની થીમ પર ઉજવશે. આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘માનવતા માટે યોગ’ (Yoga for Humanity)ની થીમ પર ઉજવશે. વર્ષ ૨૦૧૫માં ‘સદભાવ અને શાંતિ માટે યોગ‘, વર્ષ ૨૦૧૬માં ‘કનેક્ટ ધ યુથ’, વર્ષ ૨૦૧૭માં ‘સ્વાસ્થ્ય માટે યોગ’, વર્ષ ૨૦૧૮માં ‘શાંતિ માટે યોગ’, વર્ષ ૨૦૧૯માં ‘કલાઈમેટ એક્શન’, વર્ષ ૨૦૨૦માં ‘યોગ એટ હોમ-યોગ વિથ ફેમિલી’, વર્ષ ૨૦૨૧માં ‘યોગ ફોર વેલબીઈંગ’ જેવી વિવિધ થીમ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આખું વિશ્વ વિશાળ જનભાગીદારી સાથે યોગ દિવસની ઉજવણી કરવાનું છે ત્યારે ગુજરાતના સવા કરોડ નાગરિકો ‘યોગમય ગુજરાત’ અભિયાનમાં સહભાગી થશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજયકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે થશે જેમાં ૭૫૦૦ લોકો જોડાશે. રાજ્યના દરેક ગામ, તાલુકા, શહેર, જિલ્લા, નગરપાલિકા, મહાનગરપાલિકા સાથો સાથ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, આરોગ્ય કેન્દ્રો પોલીસ હેડ ક્વાર્ટર, રાજ્યની જેલો તથા તમામ જાહેર સ્થળોએ વિશાળ સંખ્યામાં નાગરિકો ભેગા મળી યોગ કરી સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપશે. સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે મુખ્ય મંત્રી પટેલના માર્ગદર્શન અને રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવીના આયોજન હેઠળ રાજ્યના ધાર્મિક, પ્રવાસન, ઐતિહાસિક તથા શૈક્ષણિક મહત્વ અને કુદરતી સૌંદર્ય ધરાવતા ૭૫ આઇકોનિક સ્થળો જેવા કે સાબરમતી રિવરફ્રન્ટ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ તથા મોઢેરા સૂર્યમંદિર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.

Tags: 21 julybhupendra patelmodiyog
Previous Post

ડાન્સ, મસ્તી અને ઉમંગ સાથે સ્મોલ વંડર દ્વારા ફાધર્સ ડેની ઉજવણી

Next Post

ભાવનગર: સંભવિત આફતો સામેની તૈયારી તથા રાહત બચાવની કામગીરી અંતર્ગત ૨૪ કલાક કંટ્રોલરૂમ કાર્યરત

aaspassdaily

aaspassdaily

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
ભાવનગર: સંભવિત આફતો સામેની તૈયારી તથા રાહત બચાવની કામગીરી અંતર્ગત ૨૪ કલાક કંટ્રોલરૂમ કાર્યરત

ભાવનગર: સંભવિત આફતો સામેની તૈયારી તથા રાહત બચાવની કામગીરી અંતર્ગત ૨૪ કલાક કંટ્રોલરૂમ કાર્યરત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.