આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ચાર દિવસ બાદ એટલે કે, 21 ઓગસ્ટથી ફરી એક વખત રાજ્યમાં ચોમાસુ જામે, તેવી શક્યતાઓ છે. જેમાં સૌરાષ્ટ્ર- કચ્છને બાદ કરતાં ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થશે. જેમાં 21 અને 22 ઓગસ્ટના રોજ નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.