કોંગ્રેસનેતા રાહુલ ગાંધીની બીજા દિવસની હરિયાણા વિજય સંકલ્પ યાત્રા સોનીપતના ગોહાનામાં પૂરી થઈ. સવારે 11.30 વાગ્યે ઝજ્જરના બહાદુરગઢથી શરૂ થયેલી આ યાત્રા સોનીપતના 5 સર્કલને કવર કરીને સાંજે ગોહાના પહોંચી હતી. મુલાકાત દરમિયાન રાહુલે સોનીપતમાં જનસભાને સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ સિંહ છે, RSSમાં તાકાત નથી. આ લોકો મને જોઈને સંતાઈ જાય છે. હું જ્યારે સંસદમાં ભાષણ આપું છું ત્યારે પણ પીએમ નરેન્દ્ર મોદી ત્યાંથી જતા રહે છે. હું ભાજપ, મોદીને નફરત કરતો નથી
રાહુલે પીએમ મોદીને પૂછ્યું કે ગુજરાતમાં અદાણી પોર્ટમાં ડ્રગ્સ ઝડપાયું, એની સામે શું કાર્યવાહી કરવામાં આવી? આ વાત હરિયાણાના લોકોને કહો. રાહુલ ગાંધીએ હરિયાણામાં ભાજપ સરકારના પરિવાર પહેચાન પત્ર (પીપીપી)ને પરિવાર પરેશાન પત્ર ગણાવ્યો હતો. આ પછી તેમણે ગોહાનામાં જનસભાને પણ સંબોધી હતી. અહીં રાહુલે સોનીપતની પ્રખ્યાત માતુરામ જલેબી ખાધી હતી. આ સાથે લોકોએ તેમને ચોખા ભેટમાં આપ્યા. અહીં તેમણે સમર્થકોને સંબોધિત પણ કર્યા હતા.