15 ઓક્ટોબરે પાકિસ્તાનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં વિદેશ મંત્રી એસ જયશંકર આજે ઈસ્લામાબાદ પહોંચ્યા હતા. પીએમ શાહબાઝ શરીફે SCO નેતાઓ માટે ડિનરનું આયોજન કર્યું હતું. અહીં પીએમ શાહબાઝ અને જયશંકરની મુલાકાત થઈ હતી. પાકિસ્તાની પીએમ આગળ આવ્યા અને બંનેએ હાથ મિલાવ્યા. છેલ્લા કેટલાક સમયથી બંને નેતાઓ વચ્ચે શું વાતચીત થઈ તે સામે આવ્યું નથી.
જયશંકર લગભગ 9 વર્ષ બાદ પાકિસ્તાનની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય નેતા છે. આ પહેલા 14 ઓક્ટોબરે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું- જો મોદી SCOની બેઠકમાં ભાગ લેવા આવ્યા હોત તો સારું થાત, મને આશા છે કે હું તેમને જલદી મળીશ.હકીકતમાં પાકિસ્તાને ઑગસ્ટમાં વડાપ્રધાન મોદીને SCO માટે આમંત્રણ મોકલ્યું હતું,
વિદેશમંત્રી પાકિસ્તાન જતાં પહેલાં જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે ત્યાં જવાનો હેતુ માત્ર SCO બેઠક માટે છે, બંને દેશના સંબંધો પર કોઈ ચર્ચા થશે નહીં. ભારત ઉપરાંત રશિયા અને ચીન સહિત 10 દેશના પ્રતિનિધિઓ પણ SCO બેઠકમાં ભાગ લેશે. આને ધ્યાનમાં રાખીને સુરક્ષાને મજબૂત કરવા ઇસ્લામાબાદમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે તેમજ સમગ્ર શહેરમાં 3 દિવસ માટે રજા જાહેર કરવામાં આવી છે.
વિદેશમંત્રી જયશંકર 8 વર્ષ અને 10 મહિના બાદ પાકિસ્તાનની મુલાકાત લેનારા ભારતના પહેલા નેતા છે, તેથી જ આ પ્રવાસ ખાસ છે. આ પહેલાં 25 ડિસેમ્બર 2015ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા. ત્યાર બાદ મોદી સરપ્રાઈઝ વિઝિટ પર લાહોર પહોંચ્યા હતા.