જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં ગઈકાલે રાત્રે મોટો આતંકી હુમલો થયો હતો. આતંકીઓએ કરેલા અંધાધૂંધ
ગોળીબારમાં 7 લોકોના મોત થયા છે. મૃતકોમાં ડોક્ટર અને મજૂરોનો સમાવેશ થાય છે. 2
બંદૂકધારીઓએ કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા કામદારો પર ગોળીબાર કર્યો હતો. હુમલાની જવાબદારી
આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ લીધી છે, જે લશ્કર-એ-તૈયબાની શાખા છે. ગૃહમંત્રી
અમિત શાહ તરફથી કડક કાર્યવાહીના સંકેત છે
આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોમાં શ્રીનગર-લેહ નેશનલ હાઈવે પર સુરંગના નિર્માણ કાર્યમાં
રોકાયેલા કાશ્મીરી ડૉક્ટર, મજૂરો અને કર્મચારીઓનો સમાવેશ થાય છે. મૃત્યુ પામેલા લોકો 3 રાજ્યોના
રહેવાસી હતા. મૃતકોની ઓળખ બિહારના રહેવાસી સેફ્ટી મેનેજર ફહીમાન નસીન, બિહારના રહેવાસી
તાહીર એન્ડ સન્સ કંપનીના કર્મચારીઓ મોહમ્મદ હનીફ અને કલીમ, મધ્યપ્રદેશના રહેવાસી મિકેનિકલ
એન્જિનિયર અનીફ શુક્લા, કાશ્મીરના રહેવાસી ડૉક્ટર શાહનવાઝ અને ગુરમીત સિંહ તરીકે થઈ છે.