Monday, September 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આજે મહાયુતિની બેઠકની શક્યતા : ભાજપ વિધાનસભ્ય દળની 4 ડિસેમ્બરે બેઠક

અજિત પવાર સોમવારે દિલ્હી પહોંચ્યા

dharmendravaghela by dharmendravaghela
2024-12-03 11:35:55
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાને 10 દિવસ વીતી ગયા છે, પરંતુ મુખ્યમંત્રીનું નામ નક્કી નથી થયું. સોમવારે ભાજપે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મહારાષ્ટ્રના નિરીક્ષક બનાવ્યા હતા.નિરીક્ષક બનાવાયા બાદ રૂપાણીએ મોડી સાંજે કહ્યું હતું કે, ‘મહારાષ્ટ્ર ભાજપ ધારાસભ્ય દળની બેઠક મંગળવાર કે બુધવારે મળશે. સર્વાનુમતે નેતાની પસંદગી કરવાના પ્રયાસો કરવામાં આવશે. મને લાગે છે કે અમને મહારાષ્ટ્રમાં બીજેપી તરફથી સીએમ મળશે.
આ પહેલા સુત્રોના જણાવ્યા અનુસાર માહિતી મળી હતી કે આજે મુંબઈમાં મહાયુતિની બેઠક પણ મળી શકે છે. જેમાં મંત્રીઓના નામ પર ચર્ચા શક્ય છે. અજિત પવાર સોમવારે દિલ્હી પહોંચ્યા હતા. તેમણે પુત્ર પાર્થ પવાર અને પ્રફુલ પટેલ સાથે બેઠક યોજી હતી. તેઓ રાત્રે 11 વાગ્યે પટેલના ઘરેથી નીકળ્યા હતા. અજીત આજે દિલ્હીમાં ગૃહમંત્રી શાહને પણ મળી શકે છે. તેઓ શાહને મંત્રી પદ માટે તેમના પક્ષના નામોની યાદી સુપરત કરી શકે છે. દેવેન્દ્ર ફડણવીસ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ બેઠકમાં જોડાઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ વિધાનસભ્ય દળની બેઠક 4 ડિસેમ્બરે સવારે 10 વાગે વિધાનસભા ભવનના સેન્ટ્રલ હોલમાં યોજાશે. જેમાં સીએમનું નામ નક્કી કરવામાં આવશે. સીએમનો શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યે મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે. ભાજપ તરફથી દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બનશે તે નિશ્ચિત માનવામાં આવે છે. મહાયુતિ એટલે કે ભાજપ, શિવસેના શિંદે અને એનસીપીમાં એક સીએમ અને બે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને 230 બેઠકો મળી છે. બહુમતી માટે જરૂરી 145 ધારાસભ્યો કરતાં 85 બેઠકો વધુ. ભાજપને 132, શિવસેના શિંદેને 57 અને NCPના અજિત પવારને 41 બેઠકો મળી છે.

Tags: Maharashtramahayuti bethak
Previous Post

ફેંગલ વાવાઝોડાને કારણે 12ના મોત : 2 કરોડ લોકો અસરગ્રસ્ત

Next Post

ઊંઝા હાઈવે પર ઇકો કાર ડિવાઇડર કૂદી પટકાઈ, બેના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

ટ્રમ્પને ટેરિફ બાદ ડિપોર્ટેશન અંગે પણ અમેરિકન કોર્ટે આપ્યો ઠપકો
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પને ટેરિફ બાદ ડિપોર્ટેશન અંગે પણ અમેરિકન કોર્ટે આપ્યો ઠપકો

August 30, 2025
કોહિમા, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર
તાજા સમાચાર

કોહિમા, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર

August 30, 2025
પંચમહાલના હાલોલમાં ચાર કલાકમાં સાડા આઠ ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર
તાજા સમાચાર

પંચમહાલના હાલોલમાં ચાર કલાકમાં સાડા આઠ ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર

August 30, 2025
Next Post
નાની ખોડિયાર મંદિર પાસે કાર અડફેટે વૃદ્ધ મહિલાને ગંભીર ઇજા

ઊંઝા હાઈવે પર ઇકો કાર ડિવાઇડર કૂદી પટકાઈ, બેના મોત

કટ્ટરપંથીઓથી બચવા ભગવા વસ્ત્રો પહેરવાનું ટાળો, તિલક લૂછી લો

કટ્ટરપંથીઓથી બચવા ભગવા વસ્ત્રો પહેરવાનું ટાળો, તિલક લૂછી લો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.