ઉત્તર પ્રદેશના સંભલમાં હિંસા બાદ બુધવારે પીડિત પરિવારોને મળવા જઈ રહેલા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પોલીસે ગાઝીપુર બોર્ડર પર અટકાવાયા હતા. અહીં બેરિકેડિંગ કરવામાં આવ્યું છે.રાહુલ -પ્રિયંકાને રોકવા માટે ડીએમ રાજેન્દ્ર પૈંસિયાની સૂચના પર દિલ્હી નજીક આવેલા યુપીના ચાર જિલ્લા ગાઝિયાબાદ, નોઈડા, અમરોહા, બુલંદશહેરમાં પણ સરહદો સીલ કરી દેવામાં આવી છે.
ગાઝિયાબાદ પોલીસે રાહુલ અને પ્રિયંકા ગાંધીને નોટિસ આપી છે. તેમને આગળ ન વધવા વિનંતી કરવામાં આવી છે. બંને નેતાઓ ગાઝીપુર બોર્ડર પર 1 કલાકથી અટવાયેલા છે. તેઓ કારની અંદર બેઠા છે. ગાઝીપુર બોર્ડર પર પોલીસ ચેકિંગના કારણે 2-3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ છે.
કમિશનર અંજનેય સિંહે રાહુલને સંભલમાં આવવાની ના પાડી છે. તેમણે કહ્યું છે કે જિલ્લામાં અત્યારે તણાવ છે. સંભલના ડીએમ રાજેન્દ્ર પાંસિયાએ દિલ્હી નજીક આવેલા યુપીના 4 જિલ્લા ગાઝિયાબાદ, નોઈડા, અમરોહા, બુલંદશહરની પોલીસને પત્ર લખ્યો છે. કહેવાય છે કે રાહુલની હિલચાલ પર નજર રાખવામાં આવે. તેમને રોકવાની વ્યવસ્થા કરવામાં આવે. અહીં મંગળવારે રાતથી પોલીસ એક્ટિવ બની હતી. હાપુડમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખના ઘરે પોલીસ તહેનાત કરવામાં આવી હતી. પોલીસ આસપાસના જિલ્લાઓમાં કોંગ્રેસના અનેક નેતાઓના ઘરે પહોંચી ગઈ છે.