કોંગ્રેસ પાર્ટીએ 1991ના ધર્મસ્થળોના કાયદાની જોગવાઈઓને પડકારતી અરજીનો વિરોધ કરવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું હતું કે આ કાયદો દેશના સામાજિક માળખાને બચાવવા માટે જરૂરી છે.
દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે 1991ના પ્લેસ ઓફ વર્શીપ એક્ટની જોગવાઈઓને પડકારતી અરજીઓનો વિરોધ કરવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. કોંગ્રેસે આ કાયદાની બંધારણીય માન્યતા સામે ભાજપના નેતા અને વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજી (PIL)માં હસ્તક્ષેપ અરજી દાખલ કરી છે અને કહ્યું છે કે દેશની ધર્મનિરપેક્ષતા માટે આ કાયદો જરૂરી છે.