સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે તે 2002ના ગોધરા ટ્રેન આગ કેસમાં ગુજરાત સરકાર અને અન્ય કેટલાક દોષિતો દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર 13 ફેબ્રુઆરીએ સુનાવણી કરશે.
સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે તે 2002ના ગોધરા ટ્રેન આગ કેસમાં ગુજરાત સરકાર અને અન્ય કેટલાક દોષિતો દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર 13 ફેબ્રુઆરીએ સુનાવણી કરશે. જસ્ટિસ જેકે મહેશ્વરી અને જસ્ટિસ અરવિંદ કુમારની ખંડપીઠે સ્પષ્ટ કર્યું કે આગામી સુનાવણી પર આ કેસમાં કોઈ મુલત્વી આપવામાં આવશે નહીં. 27 ફેબ્રુઆરી, 2002ના રોજ, ગુજરાતના ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના S-6 કોચને આગ લગાડવામાં આવી હતી, જેમાં 59 લોકોના મોત થયા હતા અને રાજ્યમાં રમખાણો ભડક્યા હતા.
કોર્ટે કહ્યું કે અમે કેસની સુનાવણી કરીશું અને અમે પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે. કોર્ટે કહ્યું કે આ કેસ ઓછામાં ઓછી પાંચ વખત મુલતવી રાખવામાં આવ્યો છે. આ જ વકીલે જણાવ્યું હતું કે મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં બદલવા સામે ગુજરાત દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણી પહેલા થવી જોઈએ.
અરજદાર તરફથી હાજર રહેલા વકીલે એમ પણ કહ્યું કે 22 વર્ષ વીતી ગયા છે. મારા અસીલને મૃત્યુદંડ આપવામાં આવ્યો નથી. કોર્ટે પહેલા તેની પુષ્ટિ કરવી પડશે. કોર્ટે કહ્યું કે છેલ્લા એક વર્ષથી આ કેસની સુનાવણી થઈ નથી. જસ્ટિસ મહેશ્વરીએ કહ્યું કે અમને CJI ઓફિસ તરફથી સૂચના મળી છે કે ફોજદારી અપીલ અને માફીના કેસને એકસાથે સાંભળવાની જરૂર નથી.