પતંગ પર્વ ઉતરાયણ જતી રહી પરંતુ પંતગના દોરા ચારે બાજુ લટકી રહ્યા છે, જયાં ત્યાં પગમાં તથા વાહનોમાં આવે છે, ઝાડ તથા થાભંલાઓ ઉપર લટકતા દોરા, ફલેટ, કોમ્પ્લેક્ષમાં જયાં જુવો ત્યાં દોરા દોરા જ છે. જે પક્ષીઓ માટે હજુ પણ ઘાતક પુરવાર થઈ રહી છે ત્યારે લટકતા દોરા નીચે ઉતારી તેનો નાશ કરવા જય માળનાથ ગ્રુપ વતી હરીભાઈ શાહે નગરજનોને અપીલ કરી છે.
જય માળનાથ ગૃપ વર્ષોથી આ કામગીરી દરેક સભ્યો કરે છે અને ચાર-પાંચ દિવસમાં દોરા ઉતારી તેને બાળી નાંખે છે. આ વખતે પણ હરિભાઈ શાહ (પક્ષી પ્રેમી) પકાભાઈ રીક્ષાવાળા, લાલાભાઈ રસોયા, હુસેનભાઈ સવૈદ, દર્શન ચૌહાણ તથા માધવ પરમાર વગેરે ગ્રુપ મેમ્બરોએ મોટા જથ્થામાં દોરા એકઠા કરેલ છે અને રવિવારે દોરાઓનો નાશ કરાયો હતો. આશરે ૪૫ કિલો થી વધારે દોરાઓ બાળવામાં આવ્યા હતા. જેમાં સૈથી વધુ ચાઈનાની દોરી જોવા મળી છે. આ પણ એક પ્રકારનું હવન જેવું જ કામ છે. આ કામગીરીથી પ્રભાવિત થઈને અન્ય સામાજીક સંસ્થાઓ પણ આનું અનુકરણ કરવા લાગેલ છે. કારણકે, ઝાડ પર તથા અન્ય જગ્યાએ લટકતા દોરા પક્ષી તથા મનુષ્યનું જાન જોખમમાં મુકાય છે. માટે દરેક નાગરીકને આ પ્રકારની કામગીરી કરવા નમ્ર અરજ કરાઇ છે.
પક્ષી માટે ગંભીર બનીને તેનો જીવ લઈ શકે છે. તો ચાલો ઝાડ ઉપરથી, અગાશી ઉપરથી, કોમ્પ્લેક્ષ, ફલેટ તથા રોડ ઉપર, તથા છાપરા ઉપર ભરાયેલા દોરા એકઠા કરી તેનો નાશ કરવો રહયો. જેથી પક્ષીઓ સુરક્ષીત રહી શકે.