ઘોઘા તાલુકાના કરેડા ગામના યુવાનનું ગળાફાંસો ખાઈ લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ઘોઘા તાલુકાના કરેડા ગામમાં રહેતા યુવાન શંભુભાઈ બુધાભાઈ ચૌહાણ ( ઉં.વ.૨૩ ) એ ગઈ તા. ૧૭/૦૧ના રોજ તેના ઘરે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેને સારવાર અર્થે ભાવનગર સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન ગઈ કાલે મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.