Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ચેન્નાઈના દરિયા કિનારે એક હજારથી વધુ કાચબા મૃત હાલતમાં મળી આવ્યા

ઓલિવ રિડ્લી કાચબા 45 મિનિટ સુધી શ્વાસ રોકી શકે છે. જો કે, બહાર ન આવી શકતાં, તેઓ ડૂબ્યા હતા

dharmendravaghela by dharmendravaghela
2025-01-28 11:50:50
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

એક મહિનાની અંદર ચેન્નાઈના દરિયા કિનારે એક હજારથી વધુ રિડ્લી ટર્ટલ્સ મૃત હાલતમાં મળી આવ્યા છે. તમિલનાડુના દરિયા કિનારા પર આ પ્રજાતિને ખૂબ જ રક્ષણ આપવામાં આવે છે. ઘણી પ્રજાતિઓ દુનિયામાં એવી છે જેને ખૂબ જ સાચવવામાં આવે છે. તમિલનાડુમાં પણ આવી ઘણી પ્રજાતિઓ છે.
એક મહિનાની અંદર ચેન્નાઈમાં એક હજારથી વધુ કાચબાઓ મૃત હાલતમાં મળી આવ્યા છે. અનેક કાચબાની પ્રજાતિઓ ધીમે-ધીમે લુપ્ત થઈ રહી છે. આ લુપ્ત થઈ જતી પ્રજાતિઓને પ્રોટેક્ટ કરનારા દ્વારા ખૂબ જ સાચવવામાં આવે છે. કાચબાના આવા અચાનક મૃત્યુ એનિમલ રાઇટ્સ એક્ટિવિસ્ટ્સ માટે અત્યારે ચિંતાનો વિષય બને છે. આ પ્રજાતિને વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન ઍક્ટમાં શિડ્યુલ વન કેટેગરીમાં સામેલ કરવામાં આવી છે. આ કાચબા મુખ્ય મરિન ઇકોસિસ્ટમના બેલેન્સ માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. દર વર્ષે આ કાચબા ખાસ કરીને જાન્યુઆરીમાં આશરે 7000 કિલોમીટર જેટલા લાંબા અંતરનું માઇગ્રેશન કરે છે.
આ પ્રજાતિને બચાવવા માટે રાજ્ય સરકાર અને અનેક NGOઓએ અપીલ કરી છે. તેઓ કાચબાઓના ઇંડા સાંકળી તેને સુરક્ષિત રીતે ઇન્ક્યુબેટ કરે છે અને પછી હૅચલિંગને દરિયામાં છોડે છે. જો કે, એક હજાર ઇંડામાંથી ફક્ત બે અથવા ત્રણ કાચબા મોટા થાય છે, બાકી બધા મૃત્યુ પામે છે.
હાલમાં દરિયાકિનારે જે કાચબા મૃત હાલતમાં મળ્યા છે એના કારણે ચિંતા વધી ગઈ છે. એનિમલ રાઇટ્સ એક્ટિવિસ્ટ્સ એનો ખતરો સમજાવે છે. જે આંકડો સામે આવ્યો છે એ ફક્ત 10%નો હોય છે. તેમના અનુમાન મુજબ, હજુ પણ ઘણા કાચબા દરિયા કિનારે દેખાયા નથી. તેમનું માનવું છે કે લગભગ 5000 ઓલિવ રિડ્લી કાચબા મૃત્યુ પામ્યા છે. પોસ્ટમોર્ટમમાં સામે આવેલ છે કે કાચબાના મૃત્યુ ડૂબી જવાને કારણે છે. કાચબાનું ગળું મોટું થઈ ગયું હતું અને આંખો પણ બહાર આવી ગઈ હતી. આ કારણે નક્કી થયું કે ડૂબવાના કારણે કાચબા મૃત્યુ પામ્યા છે. ઓલિવ રિડ્લી કાચબા 45 મિનિટ સુધી શ્વાસ રોકી શકે છે. જો કે, બહાર ન આવી શકતાં, તેઓ ડૂબ્યા હતા.

Tags: chennaiindiaolive ridley turtle death
Previous Post

દિલ્હીના બુરાડીમાં 4 માળની ઇમારત ધરાશાયી થતા 2ના મોત, 12 ઘાયલ

Next Post

બાગપતમાં સ્ટેજની સીડી તૂટી પડતા 7 શ્રદ્ધાળુઓના મોત, 80 ઘાયલ

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
બાગપતમાં સ્ટેજની સીડી તૂટી પડતા 7 શ્રદ્ધાળુઓના મોત, 80 ઘાયલ

બાગપતમાં સ્ટેજની સીડી તૂટી પડતા 7 શ્રદ્ધાળુઓના મોત, 80 ઘાયલ

ભારત-અમેરિકા સંબંધો અંગે મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થઈ ચર્ચા

ભારત-અમેરિકા સંબંધો અંગે મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થઈ ચર્ચા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.