સુપ્રીમ કોર્ટે 21 વર્ષ પછી હત્યાના એક આરોપીને નિર્દોષ છોડ્યો છે. કોર્ટે સ્વીકાર કર્યો કે આરોપીને ન્યા આપવામાં મોડુ થઇ ગયું છે. મોટી વાત આ છે કે આરોપીનો કેસ સુપ્રીમ કોર્ટમાં 13 વર્ષ સુધી પેન્ડિંગ રહ્યો હતો. તે બાદ 11 મહિના માટે ચુકાદાને સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. મોહમ્મદ બાની આલમ માજિદની ઓગસ્ટ 2003માં એક 16 વર્ષની સગીરાનું અપહરણ અને હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. કામરૂપ સેશન કોર્ટે 2007માં તેને આજીવન કેદની સજા સંભળાવી હતી.
2010માં ગુવાહાટી હાઇકોર્ટે પણ સેશન કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો હતો.તે બાદ 2011માં માજિદે ન્યાય માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. ઓક્ટોબર 2018માં માજિદને આઠ અઠવાડિયાના વચગાળાના જામીન મળ્યા હતા. આ જામીન તેની બીમાર માતાને મળવા માટે આપવામાં આવ્યા હતા. તે બાદ ફરી તેને જેલમાં પરત ફરવું પડ્યું હતું.
સુપ્રીમ કોર્ટે પણ આ કેસમાં ચુકાદો સંભળાવવામાં એક દાયકાનો સમય લગાવ્યો હતો. 21 માર્ચ 2004માં ચર્ચા પૂર્ણ થઇ હતી અને ચુકાદાને સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. ચર્ચા પૂર્ણ થયા બાદ ચુકાદો સંભળાવાવમાં પણ 11 મહિનાનો સમય લાગ્યો હતો. 24 ફેબ્રુઆરી 2005માં જસ્ટિસ અભય એસ ઓકા અને ઉજ્જવલ ભુઇયાની બેન્ચે ચુકાદો સંભળાવ્યો કે આરોપી વિરૂદ્ધ કોઇ આરોપ સાબિત થતો નથી. એવામાં તેને નિર્દોષ છોડવામાં આવે છે. પોતાના ચુકાદમાં બેંચે એમ પણ કહ્યું કે આરોપી વિરૂદ્ધ પુરતા પુરાવા નથી. આ લિવાય પીડિતાને જ્યારે અંતિમ વખત જોવામાં આવી અને જ્યારે તેની લાશ મળી તો ઘણા સમયનું અંતર હતું. આ દરમિયાનના કોઇ પુરાવા મળ્યા નથી કે માજિદે હત્યા કરી હોય. બેંચે કહ્યું કે માજિદ અને પીડિતા રિલેશનશીપમાં હતા અને તેના પરિવારે પીડિતાના પરિવારને લગ્નનું આશ્વાસન પણ આપ્યુ હતું. એવામાં એમ ના કહી શકાય કે પૈસા માટે યૌન શોષણ કરવામાં આવ્યું હોય. નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રિડની માનીએ તો સુપ્રીમ કોર્ટમાં જ 55 ટકા ક્રિમિનલ કેસ એક વર્ષથી વધુ સમયના પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં 81 હજારથી વધુ કેસ પેન્ડિંગ છે