હરિયાણાના અંબાલામાં ભારતીય વાયુસેનાનું જગુઆર ફાઇટર જેટ ક્રેશ થયું. આ દુર્ઘટનામાં પાયલોટનો આકસ્મિક બચાવ થયો હતો. વાયુસેનાના નિવેદન અનુસાર ફાઇટર જેટ અંબાલા એરબેઝથી તાલીમ માટે ઉડાન ભરી હતી. અંબાલાના પહાડી વિસ્તાર મોરનીના બલદવાલા ગામ પાસે ફાઇટર જેટ ક્રેશ થયું. આ ઘટના બાદ ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ફાઇટર જેટનો પાયલોટ પેરાશૂટ દ્વારા સુરક્ષિત રીતે ઉતરાણ કરવામાં સફળ રહ્યો. ઘટનાની માહિતી મળતાં સ્થાનિક પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.