ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમે 9 મહિનાની અંદર બીજી ટ્રોફી જીતી છે. T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ, રોહિતની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ 12 વર્ષ પછી ફરીથી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. રવિવાર 9 માર્ચે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં, ટીમ ઇન્ડિયાએ કેપ્ટન રોહિત શર્માની શાનદાર બોલિંગ અને મજબૂત ઇનિંગ્સની મદદથી ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું. આ સાથે, ટીમ ઈન્ડિયાએ 25 વર્ષ પહેલા આ જ ટુર્નામેન્ટની ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામેની હારનો બદલો પણ લઈ લીધો. આ સાથે, તેણે આ ટ્રોફી સૌથી વધુ વખત જીતવાનો રેકોર્ડ પણ બનાવ્યો.
લગભગ 9 મહિના પહેલા રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપનો ખિતાબ જીતીને વર્ષોના દુષ્કાળનો અંત લાવ્યો હતો. તે જીતે માત્ર રાહનો અંત જ નહીં પરંતુ ટીમ ઈન્ડિયાની ભૂખ પણ વધારી દીધી. તેની અસર ચેમ્પિયન્સ ટ્રોફીમાં જોવા મળી, જ્યાં ફરી એકવાર રોહિતની ટીમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન સારું પ્રદર્શન કર્યું અને એક પણ મેચ હાર્યા વિના ટાઇટલ જીત્યું.
ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને ચાર વિકેટે હરાવીને ટીમ ઇન્ડિયાએ ટ્રોફી જીતી લીધી છે. ફાઇનલમાં જીત સાથે ટીમે 12 વર્ષના લાંબા ગાળા બાદ ફરી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા દ્વારા ટીમને આ જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ પોતાની એક્સ-પોસ્ટમાં કહ્યું, ‘એક અસાધારણ રમત અને અસાધારણ પરિણામ! ICC ચેમ્પિયન્સ ટ્રોફી ઘરે લાવવા બદલ આપણી ક્રિકેટ ટીમ પર ગર્વ છે. તેણે આખી ટુર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન.