Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ટ્રેન હાઇજેક : 30 સૈનિકો માર્યા ગયા, 16 વિદ્રોહીઓ ઠાર

dharmendravaghela by dharmendravaghela
2025-03-12 11:48:00
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મંગળવારે પાકિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મી (BLA)એ જાફર એક્સપ્રેસ પર હુમલો કર્યો અને તેને હાઇજેક કરી હતી. લગભગ 24 કલાક પછી, સેનાના ઓપરેશનમાં 16 બળવાખોરો માર્યા ગયા છે. ક્વેટાથી પેશાવર જતી આ ટ્રેનમાં લગભગ 500 લોકો હતા. આ મુસાફરોમાં પાકિસ્તાની સૈનિકો અને પોલીસકર્મીઓનો સમાવેશ થતો હતો. BLAએ આમાંથી 214 મુસાફરોને બંધક બનાવ્યા, જ્યારે 30 પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા.
ન્યૂઝ એજન્સી AFP અનુસાર, સુરક્ષા દળોએ 104 બંધકોને મુક્ત કર્યા છે. આમાં 58 પુરુષો, 31 મહિલાઓ અને 15 બાળકોનો સમાવેશ થાય છે. બાકીના લોકોને મુક્ત કરવાની કામગીરી ચાલુ છે. BLA એ બંધકોને યુદ્ધ કેદીઓ તરીકે વર્ણવ્યા છે, અને બદલામાં પાકિસ્તાની જેલમાં બંધ બલૂચ કાર્યકરો, રાજકીય કેદીઓ, ગુમ થયેલા વ્યક્તિઓ, આતંકવાદીઓ અને અલગતાવાદી નેતાઓની બિનશરતી મુક્તિની માગ કરી છે. આ માટે BLA એ મંગળવારે રાત્રે 10 વાગ્યે પાકિસ્તાન સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. BLA કહે છે કે આ નિર્ણય બદલાશે નહીં.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોના ઓપરેશનને કારણે આતંકીઓ નાના-નાના જૂથોમાં વહેંચાઈ ગયા હતા. ઘાયલ મુસાફરોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે વધારાના સુરક્ષા કર્મચારીઓ આ વિસ્તારમાં ઓપરેશનમાં ભાગ લઈ રહ્યા છે. બલૂચિસ્તાનના ગૃહ રાજ્ય મંત્રી તલાલ ચૌધરીએ જણાવ્યું હતું કે બપોરના સુમારે દૂરના વિસ્તારમાં ટ્રેનને હાઇજેક કરવામાં આવી હતી. તેમણે દાવો કર્યો હતો કે સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચ્યા બાદ કેટલાક મુસાફરોને મુક્ત કરવામાં આવ્યા હતા.

Tags: pakistantrain hijack
Previous Post

જાપાનના વૈજ્ઞાનિકોએ દરિયાના પાણીમાં થોડા કલાકોમાં ઓગળી જાય એવા પ્લાસ્ટિકની કરી શોધ

Next Post

અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે

અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે

રત્નકલાકારોની મદદ માટે બે દિવસમાં પ્લાન ઘડીશું : મુખ્યમંત્રી

રત્નકલાકારોની મદદ માટે બે દિવસમાં પ્લાન ઘડીશું : મુખ્યમંત્રી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.