અમદાવાદ શહેરમાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદની પ્રવીણ તોગડિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રવીણ તોગડિયાએ તીન બચ્ચે હિંદુ સચ્ચેનો નારો આપ્યો હતો.આ ઉપરાંત પ્રવીણ તોગડિયાએ જણાવ્યું કે, હિંદુત્વનો એજન્ડા મારો પૂર્ણ નથી થયો.
AHPના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ બેઠકમાં જણાવ્યું કે, આગામી સમયમાં હિંદુ લઘુમતીમાં મૂકાઈ જશે જેથી હિન્દુ પરિષદની અપીલ છે. જનસંખ્યા નિયંત્રણ બિલઆવશે તો હું ત્રણ બાળકોની વાત બંધ કરી દઈશે. આ ઉપરાંત તેમને જણાવ્યું કે, હું હિન્દુની સેવા કરું છું,કુંભમેળામાં હિન્દુઓની સેવા કરી છે. ભાજપના લોકોએ તેમનો એજન્ડા પૂર્ણ થયો તેનો જવાબ આપશે. આ દેશમાં હિન્દુઓ ટાર્ગેટ પર છે લઘુમતી નથી. તાજેતમાં નાગપુરની ઘટનામાં બતાવી દીધું છે કે હિન્દુ ટાર્ગેટ પર છે. આતંકવાદી મસૂદ અને ઔરંગઝેબનું ગુણગાન ભારત઼માં નહી કરવા દઈએ. Ahp દ્વારા દેશમાં નાગરિકોને ઠંડુ પાણી પીવડાવાની નેમ અને યોજના બનાવી છે. હનુમાન ચાલીસા મારફતે નાગરિકોને આરોગ્યની તપાસ, બાળકો માટે યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે.