મંગળવારે મ્યાનમારમાં બે ભૂકંપ આવ્યા હતા. જેમાં પહેલા ભૂકંપની તીવ્રતા 4.7 અને બીજા ભૂકંપની તીવ્રતા 4.5 હતી. જો કે આમાં કોઇ જાનહાનિ થઈ નથી. પરંતુ લોકોમાં ભયનું વાતાવરણ છે. સ્થાનિક વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને કટોકટીની તૈયારી પર ભાર મૂકી રહ્યું છે. લોકોને સતર્ક રહેવા અને સરકારી સૂચનાઓનું પાલન કરવાની સૂચના આપવામાં આવી છે.
NCS અનુસાર પહેલા ભૂકંપની તીવ્રતા 4.7 માપવામાં આવી હતી. જે ભારતીય સમય મુજબ સાંજે 4:31 વાગ્યે આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા 4.7 હતી. સાંજે આવેલા બીજા ભૂકંપની તીવ્રતા 4.5 હતી. જે ભારતીય સમય મુજબ રાત્રે 8:57 વાગ્યે નોંધાઈ હતી. આ ભૂકંપોને કારણે જાનમાલના નુકસાનના તાત્કાલિક કોઈ અહેવાલ નથી પરંતુ ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોમાં ભય અને ચિંતાનું વાતાવરણ છે. મ્યાનમાર દક્ષિણ-પૂર્વ એશિયાઈ ક્ષેત્રના ભૂકંપ-સંભવિત ક્ષેત્રમાં આવેલું છે. જ્યાં નાના ભૂકંપના આંચકા ઘણીવાર અનુભવાય છે. વૈજ્ઞાનિકો માને છે કે આવા ભૂકંપ સપાટી નીચે પ્લેટોની હિલચાલને કારણે થાય છે.