મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય આરોપી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો થઈ ગયો છે અને હવે તેને ભારત લાવવામાં આવશે. હકીકતમાં, યુએસ સુપ્રીમ કોર્ટે તહવ્વુર રાણાના પ્રત્યાર્પણને રોકવા માટેની અરજીને ફગાવી દીધી છે. 64 વર્ષીય તહવ્વુર રાણા પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક છે અને હાલમાં લોસ એન્જલસના મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં બંધ છે. 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત પ્રત્યાર્પણ કરવાનો માર્ગ હવે મોકળો થઈ ગયો છે. યુએસ સુપ્રીમ કોર્ટે રાણાની તે અરજીને ફગાવી દીધી છે જેમાં તેમણે તેમના પ્રત્યાર્પણ પર રોક લગાવવાની માંગ કરી હતી. સોમવારે સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર પ્રકાશિત એક નોટિસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો.
64 વર્ષીય તહવ્વુર રાણા પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક છે. હાલમાં તેને લોસ એન્જલસના મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. 27 ફેબ્રુઆરીના રોજ, રાણાએ સુપ્રીમ કોર્ટના એસોસિયેટ જસ્ટિસ એલેના કાગન સમક્ષ “ઇમરજન્સી પિટિશન” દાખલ કરી, જેમાં “હેબિયસ કોર્પસ પિટિશનની સુનાવણી બાકી રહે ત્યાં સુધી પ્રત્યાર્પણ પર રોક” લગાવવાની માંગ કરવામાં આવી. જોકે, ગયા મહિને જસ્ટિસ કાગને રાણાની અરજી ફગાવી દીધી હતી. આ પછી, રાણાએ પોતાની અરજી ફરીથી રજૂ કરી અને તેને મુખ્ય ન્યાયાધીશ જોન રોબર્ટ્સ સમક્ષ મોકલવાની માંગ કરી હતી.
આના પર, સુપ્રીમ કોર્ટે રાણાની અરજીને 4 એપ્રિલ, 2025 ના રોજ ‘કોન્ફરન્સ’ માટે સૂચિબદ્ધ કરી અને તેને કોર્ટ સમક્ષ રજૂ કરવાનો નિર્ણય લીધો.સોમવારે યુએસ સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર પ્રકાશિત એક નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, “આ અરજી કોર્ટે ફગાવી દીધી છે.” આ નિર્ણય પછી, અમેરિકામાં રાણાના કાનૂની વિકલ્પો હવે ખૂબ જ મર્યાદિત થઈ ગયા છે અને ભારત પ્રત્યાર્પણની પ્રક્રિયા આગળ વધારી શકાય છે.