જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતાં રામબનમાં ગુજરાતીઓ પ્રવાસીઓ ફસાયેલા છે ત્યારે, તમામ પ્રવાસીઓની સલામતીને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જરૂરી સૂચનાઓ આપી છે.. મુખ્યમંત્રી દ્વારા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને ગુજરાતના યાત્રિકોની સલામતીને લઇને જરૂરી તમામ પગલા લેવા માટે સૂચન કરાયું છે. ગુજરાત પોલીસ જમ્મુ-કાશ્મીર પોલીસ સાથે સતત સંપર્કમાં છે. હાલ તમામ ગુજરાતી પ્રવાસીઓ સલામત હોવાનું જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું છે. મહત્વની વાત એ છે કે આર્મી પણ ફસાયેલા ગુજરાતી યાત્રિકોની મદદે આવી છે. આર્મીના જવાનોએ ફસાયેલા યાત્રિકોને ચા-નાસ્તો અને ભોજન કરાવ્યા હતા.
જમ્મૂ કશ્મીરમાં રામબનમાં ભૂસ્ખલન થતા 50 ગુજરાતીઓ ફસાયાની વિગતો સામે આવી છે. જેમાં બનાસકાંઠાના 20 અને ગાંધીનગરના 30 લોકો સામેલ છે.. ગઇકાલે બનાસકાંઠા કલેક્ટરે રામબનના કલેક્ટરનો સંપર્ક કર્યો હતો જે બાદ રામબનના કલેક્ટરે મદદ માટે એક ટીમ મોકલી હતી. ગુજરાત પોલીસે તાત્કાલિક જમ્મુ-કાશ્મીર પોલીસ કંટ્રોલ રૂમ અને રામબન એસ.એસ.પી. સાથે સંપર્ક કરી પ્રવાસીઓની માહિતી મેળવી હતી.. જેમાં તમામ ગુજરાતી પ્રવાસીઓ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.. તેમજ પ્રવાસીઓ માટે જમવા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું હતું.. .