પહેલગામ હુમલા અંગે PM મોદી એક્શન મોડમાં છે. આ હુમલાના સમાચાર મળતા જ તેઓ સાઉદી અરેબિયાનો પ્રવાસ અધવચ્ચે જ છોડીને દેશ પરત ફર્યા. બુધવારે સવારે તેમનું વિમાન દિલ્હી એરપોર્ટ પર ઉતર્યું. મામલાની ગંભીરતાને સમજીને, PM મોદીએ સમય બગાડ્યા વિના એરપોર્ટ પર હાઈલેવલ બેઠક યોજી. આ બેઠક સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓની સાથે, NSA અજિત ડોભાલ અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ હાજર હતા.
મંગળવારે જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાથી પોતાનો પ્રવાસ ટૂંકાવીને પરત કર્યા છે. મોદી મંગળવારે સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS)ના આમંત્રણ પર સાઉદી અરેબિયાની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા. તેઓ ગઈકાલે રાજ્ય રાત્રિભોજનમાં હાજરી આપવાના હતા અને ત્યારબાદ આજે એમબીએસ સાથે અનેક કરારો પર ચર્ચા કરવાના હતા, પરંતુ કાશ્મીર હુમલાને કારણે તેમનો કાર્યક્રમ અધવચ્ચે જ રદ કરવામાં આવ્યો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, PM મોદીએ આ હુમલામાં સામેલ આતંકવાદીઓને કરારો જવાબ આપવા અને તેમને સાથ આપનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે. આ હુમલા અંગે મંગળવારે સાંજે પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ પણ કરી હતી. તેમણે લખ્યું હતું કે હું જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરું છું, જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલ લોકો જલદીથી સ્વસ્થ થાય. અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી મદદ પૂરી પાડવામાં આવી રહી છે. આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળના લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. તેમને છોડવામાં આવશે નહીં! તેમનો નાપાક એજન્ડા ક્યારેય સફળ થશે નહીં. આતંકવાદ સામે લડવાનો આપણો સંકલ્પ અટલ છે અને તે વધુ મજબૂત બનશે.