જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળોએ કાર્યવાહી શરૂ કરી દીધી છે.
આ દરમિયાન, સેનાએ પીઓકેમાં 42 આતંકવાદી કેમ્પોની ઓળખ કરી. એવું કહેવામાં આવી રહ્યું છે કે
જો જરૂર પડશે તો આ કેમ્પોનો નાશ કરવામાં આવશે. આમાં 10 ઉત્તર પીર પંજાલ રેન્જ (કાશ્મીરની
બીજી બાજુ પીઓકેમાં) અને 32 દક્ષિણ પીર પંજાલ રેન્જ (જમ્મુની બીજી બાજુ પીઓકેમાં)નો સમાવેશ
થાય છે.
પીઓકેમાં કુલ ૧૧૦થી ૧૩૦ આતંકવાદી લોન્ચ પેડ હોવાની શક્યતા છે. ઉત્તર પીર પંજાલમાં 30થી 35
આતંકવાદી લોન્ચ પેડ છે. પીઓકેમાં દક્ષિણ પીર પંજાલ વિસ્તારમાં લગભગ 100 આતંકવાદી લોન્ચ પેડ
છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી. તેમણે દેશવાસીઓને
ખાતરી આપી કે સરકાર દરેક જરૂરી પગલાં લેશે. તેમણે કહ્યું, “આતંકવાદ સામે અમારી ઝીરો ટોલરન્સ
નીતિ છે. ભારતનો દરેક નાગરિક આ કાયરતાપૂર્ણ કૃત્ય સામે એકજૂથ છે. ભારતને ડરાવી શકાય નહીં. હું
દેશવાસીઓને ખાતરી આપું છું કે આ ઘટનાને ધ્યાનમાં રાખીને, ભારત સરકાર દરેક જરૂરી અને યોગ્ય
પગલું ભરશે.” અગાઉ, ગૃહમંત્રી અમિત શાહે પહેલગામના બૈસરનની મુલાકાત લીધી હતી, જ્યાં
આતંકવાદીઓએ હુમલો કર્યો હતો.