પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતમાં લોકોમાં ગુસ્સે છે. તો બીજી તરફ ભારતની બદલો લેવાની કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો છે. લોકોમાં જરનો માહોલ છે. ત્યારે બીજી તરફ ઇસ્લામાબાદમાં ડિપ્લોમેટિક એન્ક્લેવનીબહાર કેટલાક લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.સુરક્ષા અધિકારીઓ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેના કારણે અધિકારીઓએ વધુ કર્મચારીઓ તૈનાત કરવાની માંગ કરી છે. વિરોધ પ્રદર્શન દરમિયાન ભારત વિરોધી સૂત્રોચ્ચાર થયાના પણ અહેવાલો છે.
ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ બુધવારે (૨૩ એપ્રિલ) કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી (CCS) ની બેઠક બાદ પાકિસ્તાન સામે કડક પગલાં લેવાની જાહેરાત કરી. ભારત દ્વારા લેવામાં આવેલા પગલાંમાં સિંધુ જળ સંધિ અટકાવવા, વાઘા અટારી સરહદ તાત્કાલિક બંધ કરવા અને પાકિસ્તાની નાગરિકોના સાર્ક વિઝા રદ કરવાનો સમાવેશ થાય છે. આ કડક પગલાં બાદ, પાકિસ્તાને પણ સમાન રાજદ્વારી પગલાં લીધાં અને સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરવાના નિર્ણયને “યુદ્ધનું કૃત્ય” ગણાવ્યું.શાહબાઝ શરીફે કહ્યું, “સિંધુ જળ સંધિ મુજબ પાકિસ્તાનના પાણીના પ્રવાહને અવરોધવાનો અથવા વાળવાનો અને નીચલા નદી કિનારાના વિસ્તારોના અધિકારોનું ઉલ્લંઘન કરવાનો કોઈપણ પ્રયાસ યુદ્ધની કાર્યવાહી તરીકે ગણવામાં આવશે અને રાષ્ટ્રીય શક્તિના સમગ્ર સ્પેક્ટ્રમમાં સંપૂર્ણ તાકાતથી જવાબ આપવામાં આવશે.” તેમાં વધુમાં જણાવાયું છે કે પાકિસ્તાન ભારત સાથેના તમામ દ્વિપક્ષીય કરારોને સ્થગિત કરવાનો અધિકારનો ઉપયોગ કરશે, જેમાં શિમલા કરારનો સમાવેશ થાય છે પરંતુ તે મર્યાદિત નથી. આ ઉપરાંત, પાકિસ્તાને ભારત સાથેનો તમામ વેપાર સ્થગિત કરી દીધો અને વાઘા બોર્ડર ક્રોસિંગ તાત્કાલિક અસરથી બંધ કરવાની ધમકી આપી.