Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સોમનાથ મંદિર પાસે 12 ફૂટની દીવાલ ના બનાવો, દબાણ રોકવા માગો છો તો પાંચથી છ ફૂટ પૂરતી છે : સુપ્રીમ કોર્ટ

એક વ્યક્તિએ આ દીવાલ સામે અરજી દાખલ કરી છે અને કહ્યું છે કે આ દીવાલ એવી રીતે બનાવવામાં આવી રહી છે કે કોઈ અંદર પ્રવેશી ન શકે

dharmendravaghela by dharmendravaghela
2025-04-29 11:53:00
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

28 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના અધિકારીઓ પર કોઈપણ સૂચના આપ્યા વિના મકાનો અને ધાર્મિક સ્થળો તોડી પાડવાના આરોપો મૂકવામાં આવ્યા હતા. આ કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે સૂચનાઓ આપી છે. ગીરમાં સોમનાથ મંદિર નજીક અતિક્રમણ અટકાવવા માટે ગુજરાત સરકાર મંદિર પરિસરની ફરતે દીવાલ બનાવી રહી છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ દીવાલની ઊંચાઈ 5-6 ફૂટ હોવી જોઈએ. આ નિર્દેશ જસ્ટિસ બીઆર ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે આપ્યો છે. એક વ્યક્તિએ આ દીવાલ સામે અરજી દાખલ કરી છે અને કહ્યું છે કે આ દીવાલ એવી રીતે બનાવવામાં આવી રહી છે કે કોઈ અંદર પ્રવેશી ન શકે.
ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અરજદારના દાવાઓનો વિરોધ કરતાં કહ્યુંકે, અધિકારીઓ હંમેશાં કમ્પાઉન્ડ વોલ બનાવીને સરકારી જમીનનું રક્ષણ કરી શકે છે. આના પર જસ્ટિસ ગવઈએ કહ્યું, ’12 ફૂટની દીવાલ ના બનાવો. જો તમે એનું રક્ષણ કરી રહ્યા છો તો પાંચ ફૂટ, છ ફૂટની દીવાલ પૂરતી છે.’ મહેતાએ કહ્યું હતું કે અરજી દાખલ કરનારી વ્યક્તિએ 12 ફૂટની દીવાલ અંગે મૌખિક દાવો કર્યો છે.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું, ‘અમે કિલ્લો એટલા માટે નથી બનાવી રહ્યા કે જેથી કોઈ પ્રવેશ ન કરી શકે. આ અતિક્રમણ અટકાવવા માટે છે.’ બેન્ચે કહ્યું, ‘તમે 12 ફૂટ ઊંચી કમ્પાઉન્ડ વોલ કેમ બનાવવા માગો છો? એને પાંચ કે છ ફૂટ ઊંચી બનાવો.’ જસ્ટિસ ગવઈએ મહેતાને આ સંદર્ભમાં સંબંધિત કલેક્ટરને સૂચનાઓ આપવા કહ્યું. મહેતાએ ખાતરી આપી, ‘હું સૂચનાઓ આપીશ.’અરજદાર વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ એ રજૂઆત કરી હતી કે અધિકારીઓ પરિસરને દીવાલ બનાવીને યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. મહેતાએ હેગડેના દાવાઓને નકારી કાઢ્યા અને આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં આપેલા તેમના અગાઉના નિવેદનનો ઉલ્લેખ કર્યો. 31 જાન્યુઆરીના રોજ મહેતાએ ‘સ્પષ્ટ નિવેદન’ આપ્યું હતું કે અતિક્રમણ કરાયેલી જમીન પર હિન્દુ ધાર્મિક વિધિઓ સહિત કોઈપણ પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવી રહી નથી. સોમવારે તેમણે કહ્યું હતું કે પરિસ્થિતિ એવી જ રહી છે. તેમણે કહ્યું- ‘અમે ફક્ત અતિક્રમણ અટકાવવા માટે કમ્પાઉન્ડ વોલ બનાવી રહ્યા છીએ.’
હેગડેએ કહ્યું હતું કે અધિકારીઓ 12 ફૂટ ઊંચી દીવાલ બનાવી રહ્યા હતા અને અરજદારને ખબર નહોતી કે અંદર શું થઈ રહ્યું છે. બેન્ચે કહ્યું, ‘તમને ખબર કેમ નથી? ડ્રોન હવે દરેક જગ્યાએ ઉપલબ્ધ છે,’ આ પછી હેગડેએ કહ્યું, ‘એવું લાગે છે કે તમે ચીનની મહાન દીવાલ બનાવી છે અને કહી રહ્યા છો કે અમે એનું રક્ષણ કરી રહ્યા છીએ.’ મહેતાએ જવાબ આપ્યો, ‘આ ચીનની મહાન દીવાલ નથી. આપણે સનસનાટીભરી ન બનાવવી જોઈએ.’ અરજદારે કહ્યું કે સ્થળ પર યથાસ્થિતિ જાળવી રાખવી જોઈએ. ત્યાર બાદ બેન્ચે સુનાવણી 20 મે સુધી મુલતવી રાખી.
સુપ્રીમ કોર્ટે હેગડેને કહ્યું કે જો અધિકારીઓએ અન્ય કોઈ બાંધકામ કર્યું હોય તો તેઓ કોર્ટનો સંપર્ક કરી શકે છે. 31 જાન્યુઆરીના રોજ સર્વોચ્ચ અદાલતે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં તોડી પાડવામાં આવેલી દરગાહ (મુસ્લિમ ધર્મસ્થાન) પર 1 ફેબ્રુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી ‘ઉર્સ’ ઉત્સવ યોજવાની માગ કરતી અરજીને ફગાવી દીધી હતી. બેન્ચે મહેતાની રજૂઆતની નોંધ લીધી કે સરકારી જમીન પર મંદિરો સહિત તમામ અનધિકૃત બાંધકામો તોડી પાડવામાં આવ્યાં હતાં.

Tags: somnath temple wallsupreme court
Previous Post

મિની ‘બાંગ્લાદેશ’ પર તંત્રનું બુલડોઝર : અમદાવાદના ચંડોળા તળાવ ડિમોલિશનથી ધણધણ્યું

Next Post

ભારત ગમે ત્યારે લશ્કરી કાર્યવાહી કરી શકે છે. : પાકિસ્તાની રક્ષા મંત્રી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ભારત ગમે ત્યારે લશ્કરી કાર્યવાહી કરી શકે છે. : પાકિસ્તાની રક્ષા મંત્રી

ભારત ગમે ત્યારે લશ્કરી કાર્યવાહી કરી શકે છે. : પાકિસ્તાની રક્ષા મંત્રી

ધનબાદમાંથી ધરપકડ કરાયેલા 4 શંકાસ્પદો આતંકવાદી નીકળ્યા

ધનબાદમાંથી ધરપકડ કરાયેલા 4 શંકાસ્પદો આતંકવાદી નીકળ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.