પહેલગામ હુમલાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ ચાલી રહ્યો છે ત્યારે ભારતે પાકિસ્તાની વિમાનો માટે પોતાની એર સ્પેસ બંધ કરી છે જેને લઈને તમામ એરમેનને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે.
ભારતે એક નોટમ (એરમેનને નોટિસ) જારી કરીને પાકિસ્તાન દ્વારા નોંધાયેલા, સંચાલિત અથવા ભાડે લીધેલા તમામ વિમાનો જેમાં વાણિજ્યિક એરલાઇન્સ અને લશ્કરી ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે, તેના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. એરસ્પેસ બંધ રાખવાનો આ સમયગાળો 30 એપ્રિલથી 23 મે, 2025 સુધી અમલમાં રહેશે. ઉલ્લેખનીય છે કે અગાઉ પાકિસ્તાને આતંકવાદી હુમલા બાદ ભારતીય ફ્લાઇટ્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું હતું, જેમાં 26 લોકો માર્યા ગયા હતા.