પહેલગામ હુમલા બાદ આસામમાં સોશિયલ મીડિયા પર પાકિસ્તાનને સમર્થન આપતા લોકો સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આસામ પોલીસે શનિવારે બે લોકોની ધરપકડ કરી હતી.રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રવિવારે X પર પોસ્ટ કરી હતી કે ભારતની ધરતી પર પાકિસ્તાનને સમર્થન આપતા દેશદ્રોહીઓ સામે કાર્યવાહી ચાલી રહી છે. અત્યાર સુધીમાં પાકિસ્તાનને સમર્થન આપતા 39 લોકોની ધરપકડ કરવામાં આવી છે.કાર્યવાહી અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે હોજાઈ અને સાઉથ સાલમારા-મનકાચર જિલ્લામાંથી બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
શનિવારે સાંજે, આસામના ધુબરી જિલ્લામાંથી પાકિસ્તાનને સમર્થન આપવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. તેણે કહ્યું કે તેનું નામ અમર અલી છે. અગાઉ, AIUDF (ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ) પાર્ટીના ધારાસભ્ય અમીનુલ ઈસ્લામની દેશદ્રોહના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. તેના પર પાકિસ્તાન અને પહેલગામ હુમલાને સમર્થન આપવાનો આરોપ છે. 2 એપ્રિલના રોજ એક ચૂંટણી રેલીમાં, મુખ્યમંત્રી સરમાએ ચેતવણી આપી હતી કે જે કોઈ “પાકિસ્તાન ઝિંદાબાદ” ના નારા લગાવશે તેના પગ ભાંગી નાંખવામાં આવશે. તેમણે જનતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય સેના માટે પ્રાર્થના કરવાની પણ અપીલ કરી જેથી પાકિસ્તાની આતંકવાદીઓ દુનિયામાં ગમે ત્યાં છુપાયેલા હોય તેમને સજા મળી શકે.