પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી છાવણીઓ પર ભારત દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ,
જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ ફાઇટર જેટ ક્રેશ થયાના અહેવાલો સામે આવ્યા છે. એક ઘટના પુલવામાના
પમ્પોરની છે. બીજો અખનૂરનો અને ત્રીજો રામબનનો હોવાનું કહેવાય છે. નિવૃત્ત વાયુસેના અધિકારીઓ
કહ્યું કે નિશાનોના પ્રકાર પરથી તે ભારતીય જેટ લાગતું નથી. આ પાકિસ્તાની ફાઇટર જેટ JF-17 હોઈ
શકે છે. તેમણે કહ્યું કે આ કોઈ મોટા કદનું ફાઇટર જેટ નથી. તેનો રંગ પણ દર્શાવે છે કે તે ભારતીય
નથી. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને સરહદ નજીકના રહેણાંક વિસ્તારોને
નિશાન બનાવ્યા.