મહારાષ્ટ્ર સાયબર સેલે જણાવ્યું હતું કે પહેલગામ હુમલા પછી, પાકિસ્તાની હેકર્સે ભારતમાં 15 લાખ સાયબર હુમલા કર્યા હતા. તેમાંથી ફક્ત 150 જ સફળ થયા. સેલ દ્વારા આ હુમલાઓ કરતા સાત એડવાન્સ્ડ પર્સિસ્ટન્ટ થ્રેટ (APT) જૂથોની ઓળખ કરવામાં આવી છે.સેલે કહ્યું કે યુદ્ધવિરામ પછી પણ, ભારતીય વેબસાઇટ્સ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મધ્ય-પૂર્વ દેશોમાંથી સાયબર હુમલાઓનો સામનો કરી રહી છે.જોકે, સેલ દ્વારા મુંબઈ એરપોર્ટ પરથી ડેટા ચોરી, એવિએશન, મ્યુનિસિપાલિટી સિસ્ટમ અને ચૂંટણી પંચની વેબસાઇટ હેક કરવાના દાવાઓને ફગાવી દેવામાં આવ્યા હતા. તે જ સમયે, સંઘર્ષ સંબંધિત 5 હજારથી વધુ નકલી સમાચાર પણ દૂર કરવામાં આવ્યા હતા.