ભારત પાકિસ્તાનના યુદ્ધ વચ્ચે તુર્કિયેએ ટેકો આપતા બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટીએ તુર્કિયેની ગ્રાઉન્ડ હેન્ડલિંગ સર્વિસ પ્રોવાઇડર કંપની સેલેબી એવિએશનની સુરક્ષા મંજૂરી તાત્કાલિક અસરથી રદ કરી દીધી છે. પાકિસ્તાનના આતંકવાદી અડ્ડાઓ સામે ભારતીય સૈન્યના ઓપરેશન સિંદૂરની તુર્કિયે તથા અજરબૈજાન દ્વારા ટીકા કરવામાં આવી હતી. એટલું જ નહીં આ લડાઈમાં પાકિસ્તાન દ્વારા તુર્કિયેમાં નિર્મિત ડ્રોનનો મોટાપાયે ઉપયોગ કરવામાં આવ્યો હતો. તુર્કિયે સરકારે પણ પાકિસ્તાનને જાહેરમાં ટેકો આપ્યો હતો.
અમદાવાદ એરપોર્ટ લાઉન્જની ઍક્સેસ આપતી ડ્રેગનપાસ સાથેની અમારી ભાગીદારી તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવી છે. એટલું જ નહીં અમદાવાદથી સિંગાપુર એરલાઈન, એર એશિયા અને થાઈલાયન એમ ત્રણ ઇન્ટરનેશનલ એરલાઇનની ચાર ફ્લાઇટો હેન્ડલિંગ કરતી શેલબી કંપની પાસેથી કોન્ટ્રાક્ટ છીનવી લેવાયો છે. હવે અન્ય નવી વૈકલ્પિક કંપનીનો સહારો લેવો પડશે.
હાલ એરપોર્ટ પર એર ઇન્ડિયા અને બર્ડ-જીસેક એમ બે કંપની ગ્રાઉન્ડ હેન્ડલિંગ સર્વિસ આપી રહી છે. ઉપરોક્ત ત્રણ એરલાઇનનની સિંગાપોર, કુઆલાલુમ્પુરની એક-એક અને બેંગકોકની બેએમ ચાર ફ્લાઇટના સવાર પેસેન્જરોના લગેજ ચેકઈનથી લઈને ફ્લાઇટ સુધી પહોંચાડવાની કામગીરી આ ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની કરતી હતી. અમદાવાદથી ઓપરેટ કરતા એક ઇન્ટરનેશનલ એરલાઇનના અધિકારીએ જણાવ્યું કે “દિલ્હીથી આવેલા આદેશ અમદાવાદ સ્થિત બીસીએએસને મોકલવામાં આવ્યા બાદ તાત્કાલિક અસરથી બંધ કરી ન શકીએ પરંતુ આજે અમે સેલ્બી પાસે ફ્લાઈટોનું હેન્ડલિંગ કરાવ્યા બાદ ગ્રાઉન્ડ કરાવી દઈશું પરંતુ આગામી સમયમાં ગ્રાઉન્ડ હેન્ડલિંગની સર્વિસ આપતી અન્ય કંપની પાસે ફ્લાઈટ ઓપરેટ કરાવાનો નિર્ણય લીધો છે.