ઓપરેશન સિંદૂરમાં ભારતે પાકિસ્તાની એરબેઝ પર 15 બ્રહ્મોસ ફાયર કર્યા હતા. સંરક્ષણ સંસ્થા સાથે સંકળાયેલા એક સૂત્રએ સમાચાર એજન્સી ANIને આ વાત જણાવી છે. તેનો ઉદ્દેશ્ય પાકિસ્તાનની વિમાન લોન્ચ કરવાની અને અન્ય કામગીરી કરવાની ક્ષમતાનો નાશ કરવાનો હતો.9 અને 10 મેની રાત્રે, ભારતીય વાયુસેનાએ અન્ય દળોની મદદથી, 12માંથી 11 પાકિસ્તાની એરબેઝને નિશાન બનાવ્યા અને ચીનની હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કર્યો.
ઓસ્ટ્રિયન લશ્કરી વિશ્લેષક ટોમ કૂપરે પાકિસ્તાનની પરમાણુ સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ભારતના ઓપરેશન સિંદૂર પછી, શંકા વધુ ઘેરી બની છે કે શું પાકિસ્તાન તેના પરમાણુ શસ્ત્રોને સુરક્ષિત રીતે હેન્ડલ કરી શકશે કે નહીં. કૂપરે જણાવ્યું હતું કે ભારતે પાકિસ્તાનમાં ભૂગર્ભ સુવિધા તરફ જતા બંને માર્ગોને નિશાન બનાવ્યા હતા, જે પરમાણુ સ્થળ માનવામાં આવે છે. જોકે, ભારતે કોઈ પરમાણુ કેન્દ્રને નિશાન બનાવ્યું હોવાનો ઇનકાર કર્યો છે.
બ્રહ્મોસ મિસાઇલે AWACS ને કેવી રીતે તોડી પાડ્યું? પાક. એરફોર્સના પૂર્વ ચીફે બતાવ્યું
પાકિસ્તાન જે AWACS વિમાન પર ગર્વ કરે છે તેને તાજેતરના લશ્કરી સંઘર્ષ દરમિયાન ભારત દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. પાકિસ્તાન વાયુસેનાના ભૂતપૂર્વ વડાએ કિંમતી AWACS વિમાનના વિનાશની કબૂલાત કરી છે. AWACS એક સર્વેલન્સ એરક્રાફ્ટ છે, જેને સ્કાય આઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. નિવૃત્ત પાકિસ્તાન એર માર્શલ મસૂદ અખ્તરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ભારતે 9 અને 10 મેની રાત્રે લશ્કરી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલા દરમિયાન એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમને તોડી પાડ્યું હતું.
ભોલારી એરબેઝ પર ઓપરેશન દરમિયાન પાકિસ્તાની AWACSનો નાશ કરવામાં આવ્યો હતો. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવેલા હુમલામાં કરાચી નજીક ભોલારી એરબેઝને નુકસાન થયું છે. ભારતીય સંરક્ષણ અધિકારીઓ અને મેક્સાર ટેક્નોલોજી દ્વારા બહાર પાડવામાં આવેલી સેટેલાઇટ છબીઓ દ્વારા પણ આ વાતની પુષ્ટિ થઈ છે. AWACS એક મોબાઇલ, લાંબા અંતરનું રડાર સર્વેલન્સ અને નિયંત્રણ કેન્દ્ર છે જે પાકિસ્તાનના હવાઈ સંરક્ષણ નેટવર્કમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તે એરિયા રડાર સિસ્ટમથી સજ્જ છે, જે આકાશમાં ઉડતી વખતે હવા અને જમીન બંને પર નજર રાખી શકે છે.
મસૂદ અખ્તરે ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે તેમણે એક પછી એક ચાર બ્રહ્મોસમિસાઇલો છોડ્યા. મેં કેટલાક લોકો સાથે વાત કરી, ‘તેઓએ મને કહ્યું કે તેમણે તે (ભોલારી) એરબેઝ પર ચાર મિસાઇલો છોડી હતી.’ (પાકિસ્તાની) પાઇલટ્સ જહાજોને બચાવવા માટે દોડ્યા, પરંતુ મિસાઇલો આવતી રહી. કમનસીબે, ચોથી મિસાઇલ ભોલારી (એરબેઝ) ના હેંગર પર અથડાઈ જ્યાં આપણું AWACS તૈનાત હતું, જે નુકસાન થયું. એર માર્શલ મસૂદ અખ્તરે જણાવ્યું હતું કે આ હુમલામાં પાકિસ્તાની વાયુસેનાના જવાનો પણ માર્યા ગયા છે. જોકે, તેમણે ભારત દ્વારા હુમલો કરવા માટે ઉપયોગમાં લેવાયેલી મિસાઇલ સપાટીથી સપાટી પર પ્રહાર કરતી હતી કે હવાથી સપાટી પર પ્રહાર કરતી હતી તે અંગે કોઈ જાણકારી હોવાનો ઇનકાર કર્યો હતો.