પાકિસ્તાનના આર્મી ચીફ અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીર હાલ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ
અમેરિકા(USA)ના પ્રવાસે છે, આ દરમિયાન તેમણે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વ્હાઈટ
હાઉસમાં બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન મુનીરે એવી વાત કરી હતી જેની સામે ભારત સખત વાંધો
ઉઠાવી શકે છે. મુનીરે ટ્રમ્પ માટે નોબેલ શાંતિ પુરસ્કારની માંગણી કરી હતી. અસીમ મુનીરનું માનવું છે કે
ભારત-પાકિસ્તાન યુદ્ધ રોકવામાં ટ્રમ્પે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને આ માટે તેમને નોબેલ શાંતિ
પુરસ્કાર આપવો જોઈએ.
વ્હાઇટ હાઉસના પ્રવક્તા એન્ના કેલીએ મુનીરે આ વાત કહી હોવાની પુષ્ટિ કરી છે. એન્ના કેલીએ કહ્યું કે
પાકિસ્તાની સેના પ્રમુખે નોબેલ પુરસ્કાર માટે ટ્રમ્પનાં નામની ભલામણ કરવી જોઈએ આ બેઠક ગઈ કાલે
18 જૂનના રોજ વ્હાઇટ હાઉસના કેબિનેટ રૂમમાં થઈ હતી, જેમાં મીડિયાને હાજરી આપવાની મંજૂરી
નહોતી. ટ્રમ્પે મુનીરે વ્હાઇટ હાઉસમાં લંચ માટે આમંત્રણ આપ્યું હતું.
નોંધનીય છે કે મે મહિનાની શરૂઆતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસના લશ્કરી સંઘર્ષ
ચાલ્યો હતો, ત્યાર બાદ બંને દેશના સૈન્ય વડા યુદ્ધ વિરામ માટે સહમત થયા હતાં. એ સમયે ટ્રમ્પે દાવો
કર્યો તેમની મધ્યસ્થીથી આ યુદ્ધ વિરામ થયું હતું. જો કે ભારતે આ દાવાનો ફગાવી દીધો હતો, આમ
છતાં ટ્રમ્પ વરંવાર પોતે મધ્યસ્થી કરાવી હોવાનો દાવો કરતા રહ્યા.