જો બેંકો દ્વારા ખરાબ સિબિલ સ્કોર (CIBIL Score)ને કારણે તમારી લોન એપ્લિકેશન રિજેક્ટ કરી હોય તો હવે ચિંતા કરવાનું કારણ નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 2025 માટે સિબિલ સ્કોરના નિયમોમાં ફેરફાર કર્યા છે, જેને કારણે લોન લેનારાઓને સરળતા રહેશે અને બેંકો ખરાબ સિબિલ સ્કોરને કારણે તમારી લોન પણ રિજેક્ટ નહીં કરી શકે.
આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હવે બેંકોએ લોન રિજેક્ટ કરવા માટે કેટલાક નક્કી કરવામાં આવેલા નિયમોનું પાલન કરવું પડશે અને વિના કારણ લોન રિજેક્ટ પણ નહીં કરી શકાય. જો તમે પહેલાં કોઈ જગ્યાએ લોન માટે અરજી કરી હશે અને લોન એપ્લિકેશન રિજેક્ટ થઈ હશે તો હવે તમને એ માટેનું કારણ પણ જણાવવામાં આવશે. ચાલો જાણીએ આરબીઆઈના આ નવા નિયમથી તમને શું ફાયદો થશે અને તમારે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ-આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હવે કોઈ પણ બેંક કે લોન આપનારી સંસ્થા (NBFC) કોઈ પણ કસ્ટમરની લોન ત્યારે રિજેક્ટ કરી શકશે જ્યારે એમની પાસે ચોક્કસ અને સ્પષ્ટ કારણ હશે. એટલું જ નહીં આરબીઆઈ દ્વારા કસ્ટમરને કારણ જણાવવાનું પણ ફરજિયાત બનાવી દીધું છે. અત્યાર સુધી અનેક વખત ખરાબ સિબિલને કારણે લોન સીધી રિજેક્ટ કરી દેવામાં આવતી હતી, પરંતુ હવે જો તમારો સિબિલ સ્કોર ખરાબ હોય તો લોનની અરજી રિજેક્ટ કરી દેવામાં આવતી હતી. પરંતુ હવે સિબિલ સ્કોર ખરાબ હશે તો પણ બેંકે પુરા ડોક્યુમેન્ટ્સ અને કમ્યુનિકેશનના આધારે ક્લિયર ડિસિઝન આપવું પડશે.