ઈરાન અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા ઘણાં દિવસોથી યુદ્ધ ચાલી રહ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ
ટ્રમ્પની જાહેરાત બાદ બંને દેશ સીઝફાયર માટે સહમત થયા છે. આ દરમિયાન એક અહેવાલમાં દાવો
કરવામાં આવ્યો છે કે, ઈરાને મંગળવારે (24મી જૂન) મધ્ય અને દક્ષિણ ઈઝરાયલ પર આઠ બેલિસ્ટિક
મિસાઈલો છોડી હતી. આમાંથી એક મિસાઈલ બેરશેબામાં એક એપાર્ટમેન્ટ પર પડી હતી, જેમાં ત્રણ લોકો
મોત થયા છે અને ઘણાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
અહેવાલો અનુસાર, ઈરાનના મિસાઈલ હુમલાની ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF)એ માહિતી આપી
હતી. જે બાદ મધ્ય અને દક્ષિણ ઈઝરાયલ ભાગોમાં ફરીથી મિસાઇલ સાયરન વાગ્યા છે, જે બીજી
મિસાઇલ હુમલાનો સંકેત આપ્યા છે. ઈરાને સ્થાનિક સમય મુજબ સવારે 4 વાગ્યાથી ઈઝરાયલ સામે
લશ્કરી કાર્યવાહી એકપક્ષીય રીતે બંધ કરવાની જાહેરાત કર્યાના થોડા સમય બાદ જ આ હુમલો થયો.
ઈરાનના વિદેશ મંત્રી સઈદ અબ્બાસ અરાઘચીએ કહ્યું કે, ‘હજુ સુધી કોઈ સીઝફાયર કરાર થયો નથી.
જ્યાં સુધી ઈઝરાયલ ઈરાનીઓ પર હુમલો કરવાનું બંધ ન કરે ત્યાં સુધી કોઈ સીઝફાયર થઈ શકે નહીં.
જો ઈઝરાયલ હુમલા બંધ કરશે, તો ઈરાન બદલો લેશે નહીં.
સીઝફાયરની જાહેરાત બાદ ઈરાને ઈઝરાયલ પર આઠ મિસાઈલ છોડી, 3ના મોત: રિપોર્ટ
મિસાઈલ હુમલાની ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસે માહિતી આપી
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા ઘણાં દિવસોથી યુદ્ધ ચાલી રહ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ
ટ્રમ્પની જાહેરાત બાદ બંને દેશ સીઝફાયર માટે સહમત થયા છે. આ દરમિયાન એક અહેવાલમાં દાવો
કરવામાં આવ્યો છે કે, ઈરાને મંગળવારે (24મી જૂન) મધ્ય અને દક્ષિણ ઈઝરાયલ પર આઠ બેલિસ્ટિક
મિસાઈલો છોડી હતી. આમાંથી એક મિસાઈલ બેરશેબામાં એક એપાર્ટમેન્ટ પર પડી હતી, જેમાં ત્રણ લોકો
મોત થયા છે અને ઘણાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
અહેવાલો અનુસાર, ઈરાનના મિસાઈલ હુમલાની ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF)એ માહિતી આપી
હતી. જે બાદ મધ્ય અને દક્ષિણ ઈઝરાયલ ભાગોમાં ફરીથી મિસાઇલ સાયરન વાગ્યા છે, જે બીજી
મિસાઇલ હુમલાનો સંકેત આપ્યા છે. ઈરાને સ્થાનિક સમય મુજબ સવારે 4 વાગ્યાથી ઈઝરાયલ સામે
લશ્કરી કાર્યવાહી એકપક્ષીય રીતે બંધ કરવાની જાહેરાત કર્યાના થોડા સમય બાદ જ આ હુમલો થયો.
ઈરાનના વિદેશ મંત્રી સઈદ અબ્બાસ અરાઘચીએ કહ્યું કે, ‘હજુ સુધી કોઈ સીઝફાયર કરાર થયો નથી.
જ્યાં સુધી ઈઝરાયલ ઈરાનીઓ પર હુમલો કરવાનું બંધ ન કરે ત્યાં સુધી કોઈ સીઝફાયર થઈ શકે નહીં.
જો ઈઝરાયલ હુમલા બંધ કરશે, તો ઈરાન બદલો લેશે નહીં.