ઉત્તર પ્રદેશના ગોરખપુર સહિત દેશના 15 એરપોર્ટ પર બોમ્બ હોવાની માહિતી મળતા જ ખળભળાટ
મચી ગયો હતો. રાષ્ટ્રપતિના કાર્યક્રમના બરાબર એક દિવસ પહેલા આવી ધમકી મળતા ગોરખપુર
પોલીસ પણ એલર્ટ થઈ ગઈ હતી. એરપોર્ટ ઓફિસની સાથે-સાથે દરેક વિમાનની સઘન તપાસ કરવામાં
આવી હતી અને યાત્રીઓને એક જગ્યાએ એકઠા કરવામાં આવ્યા હતા. સવારે 10.18 વાગ્યે મળેલી
માહિતી બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી અને સાંજે ચાર વાગ્યે બોમ્બ ન હોવાનું ક્લિયરન્સ મળ્યા
બાદ જ વિમાનોને રવાના કરવામાં આવ્યા હતા. એરપોર્ટ નિર્દેશકની ફરિયાદના આધારે પોલીસે ગુનો
દાખલ કર્યો છે.
મળતી વિગતો અનુસાર, રવિવારે દેશના 15 એરપોર્ટને બોમ્બ હોવાની માહિતી મળ્યા બાદ હડકંપ મચી
ગયો હતો. આ યાદીમાં ગોરખપુર એરપોર્ટનો પણ સમાવેશ થતો હતો. એક ઈમેલ આઈડી પરથી સવારે
10:18 વાગ્યે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભરી સૂચના મોકલવામાં આવી હતી. રજા હોવાને કારણે
ગોરખપુર એરપોર્ટના સુરક્ષા અધિકારીની નજર આ ઈમેલ પર બપોરે એક વાગ્યે પડી, જેના પછી
તાત્કાલિક બોમ્બ નિરોધક દળ, SSF, એરફોર્સ અને એમ્સ પોલીસ સ્ટેશનને એલર્ટ કરી દેવામાં આવ્યા
હતા.
એક કલાકની સઘન તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો
હતો. એરપોર્ટ નિર્દેશક આર.કે. પારાશરે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એમ્સ પોલીસ સ્ટેશનમાં
ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે ગોરખપુર સહિત અન્ય 15 એરપોર્ટને ઉડાવી દેવાની
ધમકીભર્યો મેઈલ મળ્યો છે, જે તોફાની તત્વો દ્વારા મોકલવામાં આવ્યો હોવાનું જણાઈ રહ્યું છે.
ફોટો