Monday, July 14, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજીનામુ આપવા અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા, ઈટાલીયા ના આવ્યા

ગોપાલ ઈટાલિયા VS કાંતિ અમૃતિયા ચેલેન્જને લઈને ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા! : કોંગ્રેસ દ્વારા મોરબીમાં વિરોધ પ્રદર્શન

dharmendravaghela by dharmendravaghela
2025-07-14 12:51:27
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

મોરબી અને વિસાવદરના ધારાસભ્યો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ‘ચેલેન્જ રાજનીતિ’ હવે ચરમસીમાએ પહોંચી છે. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને આપેલા પડકારને પૂર્ણ કરવા માટે આજે ગાંધીનગર જવા રવાના થયા છે. કાંતિભાઈ અમૃતિયા પોતાના સમર્થકોની લગભગ 100 ગાડીના વિશાળ કાફલા સાથે વિધાનસભા પહોંચશે, જ્યાં તેઓ ગોપાલ ઇટાલિયાના રાજીનામાની રાહ જોશે.
તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની પેટાચૂંટણીમાં વિસાવદર બેઠક પર ગોપાલ ઇટાલીયાનો વિજય થયા બાદ, મોરબીમાં છેલ્લા સપ્તાહમાં જુદા જુદા વિસ્તારોમાં આંદોલનો જોવા મળ્યા હતા. આ આંદોલનો દરમિયાન વારંવાર “વિસાવદર વાળી થશે” તેવી ચીમકીઓ ઉચ્ચારવામાં આવતી હતી, જેનો ઉદ્દેશ્ય મોરબીના લોકોને ઉશ્કેરવાનો અને તંત્રને બાનમાં લેવાનો હતો.આના જવાબમાં, કાંતિભાઈ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંક્યો હતો કે, જો ગોપાલ ઇટાલીયા મોરબી બેઠક પરથી ચૂંટણી લડવા આવે અને જીતી જાય, તો તેઓ પોતે રાજીનામું આપશે અને ગોપાલ ઇટાલિયાને બે કરોડ રૂપિયાનું ઇનામ આપશે. ગોપાલ ઇટાલિયાએ પણ સોશિયલ મીડિયા પર એક વીડિયો મૂકીને આ ચેલેન્જ સ્વીકારી હોવાનું દર્શાવ્યું હતું, જેનાથી આ ‘ચેલેન્જ રાજનીતિ’નો પ્રારંભ થયો હતો.
દરમિયાન આજે સોમવારે સવારે, કાંતિભાઈ અમૃતિયા મોરબી ઉમા ટાઉનશિપ ખાતે આવેલા પોતાના નિવાસસ્થાનેથી ગાંધીનગર જવા રવાના થયા છે. મોરબી અને માળિયા વિધાનસભા બેઠકના તેમના કાર્યકરો પણ તેમની સાથે જોડાયા છે. અંદાજે 100 કરતા વધુ ગાડીના કાફલા સાથે તેઓ ગાંધીનગર વિધાનસભા ખાતે પહોંચ્યા હતા કાંતિભાઈ અમૃતિયાએ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ વિધાનસભા ખાતે પહોંચ્યા બાદ અડધો કલાક સુધી ગોપાલ ઇટાલિયા ત્યાં પોતાનું રાજીનામું મૂકવા આવે તેની રાહ જોશે. જો ગોપાલ ઇટાલિયા રાજીનામું મૂકવા માટે નહીં આવે, તો કાંતિભાઈ અમૃતિયા પણ પોતાનું રાજીનામું આપશે નહીં. અને ગોપાલ ઈટાલીયા આવ્યા ના હતા. આખરે આ આખી ઘટના સ્ટન્ટ સમાન બની રહી હતી.

ગોપાલ ઇટાલિયા કોઇપણ સંજોગોમાં રાજીનામું નહી આપે : ઈસુદાન ગઢવી
ચેલેન્જ વોર વચ્ચે આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ‘હું વિસાવદરની જનતાને કહેવા માગું છું કે ગોપાલ ઇટાલિયા રાજીનામું નથી આપવાના. વિસાવદર, ભેંસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતા માટે ગોપાલ ઇટાલિયા હાલ મજબૂતાઇથી કામ કરી રહ્યા છે અને ગામડે-ગામડે ફરી રહ્યા છે અને લોકોનો અવાજ બનશે. ગોપાલભાઇના રાજીનામાની વાત જ થઇ ન હતી, ભાજપ ખોટો ભ્રમ ફેલાવે છે. વિસાવદરની જનતાએ ગોપાલ ઇટાલિયાને જીતાડ્યા છે અને ગોપાલભાઇ વિસાવદરની જનતા માટે મજબૂતાઇથી કામ કરશે. ગોપાલભાઇ ઇટાલિયા કોઇપણ સંજોગોમાં રાજીનામું આપશે નહી.

Tags: gandhinagarkanti amrutiya resignMorabi
Previous Post

શતાયુ વટેલા વૃદ્ધોનું ઘરે જઇને કરાશે આધારકાર્ડ વેરિફિકેશન

Next Post

સિંધી જનરલ પંચાયત ટ્રસ્ટ ભાવનગર દ્વારા ઇનામ વિતરણ સમારોહ યોજાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

શતાયુ વટેલા વૃદ્ધોનું ઘરે જઇને કરાશે આધારકાર્ડ વેરિફિકેશન
તાજા સમાચાર

શતાયુ વટેલા વૃદ્ધોનું ઘરે જઇને કરાશે આધારકાર્ડ વેરિફિકેશન

July 14, 2025
ગલવાન અથડામણના 5 વર્ષ પછી પહેલી વાર ચીન પહોંચ્યા જયશંકર
આંતરરાષ્ટ્રીય

ગલવાન અથડામણના 5 વર્ષ પછી પહેલી વાર ચીન પહોંચ્યા જયશંકર

July 14, 2025
અમેરિકામાં ખાલિસ્તાનીઓ પર FBIની સ્ટ્રાઈક, આતંકી નેટવર્કના 8 ઝડપાયા
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં ખાલિસ્તાનીઓ પર FBIની સ્ટ્રાઈક, આતંકી નેટવર્કના 8 ઝડપાયા

July 14, 2025
Next Post
સિંધી જનરલ પંચાયત ટ્રસ્ટ ભાવનગર દ્વારા ઇનામ વિતરણ સમારોહ યોજાયો

સિંધી જનરલ પંચાયત ટ્રસ્ટ ભાવનગર દ્વારા ઇનામ વિતરણ સમારોહ યોજાયો

ભાવનગર ખાતે શિખ સમાજના ૧૦ ધર્મગુરૂઓની નિશાનીઓનું પ્રદર્શન યોજાયું

ભાવનગર ખાતે શિખ સમાજના ૧૦ ધર્મગુરૂઓની નિશાનીઓનું પ્રદર્શન યોજાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.