ભારત અને પાકિસ્તાન વચ્ચે પહલગામ આતંકી હુમલા બાદ તણાવ ઉભો થયો છે. જેમાં પણ ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. જેની બાદ પાકિસ્તાને ભારતીય વિમાનો માટે તેની એરસ્પેસ બંધ કરી દીધી છે. આ પ્રતિબંધને પાકિસ્તાન એરપોર્ટ ઓથીરીટીએ હજુ 24 ઓગસ્ટ સુધી લંબાવી દીધો છે. આ પ્રતિબંધ ભારતીય એરલાઈન્સના તમામ વિમાનો, લીઝ પર લીધેલા સૈન્ય કે નાગરિક વિમાનનો સમાવેશ થાય છે. આ અંગેનો નોટમ 18 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યો છે જે 24 ઓગસ્ટ સુધી લાગુ રહેશે.
જમ્મુ કાશ્મીરમાં 22 એપ્રિલના રોજ પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ લોન્ચ કરેલા ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને ભારતીય વિમાનો માટે એરસ્પેસ પ્રતિબંધ લગાવ્યો છે. પાકિસ્તાને 24 એપ્રિલથી ભારતીય વિમાનો માટે એરસ્પેસ પ્રતિબંધ બંધ કર્યો છે. જેની બાદ ભારતે પણ 30 એપ્રિલથી પાકિસ્તાની વિમાન માટે પોતાનો એરસ્પેસ બંધ કરી દીધો છે. તેની બાદથી બંને દેશોએ એકબીજા માટે હજુ પણ એરસ્પેસ બંધ રાખ્યા છે.