યોગને માત્ર શહેરો પૂરતો સીમિત ન રાખતા, ગુજરાત સરકારે હવે તેને ગામડાઓ સુધી પહોંચાડવાનું
બીડું ઝડપ્યું છે. આ માટે એક યોજના તૈયાર કરવામાં આવી છે, જેનો હેતુ દરેકને યોગના ફાયદાઓથી
વાકેફ કરવાનો છે.ગુજરાત સરકાર યોગને દરેક ગામ સુધી પહોંચાડવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી
રહી છે. મુખ્યમંત્રીની સૂચના મુજબ, રાજ્યના તમામ 182 વિધાનસભા મતવિસ્તારોમાં યોગ કાર્યક્રમોનું
આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમોનો હેતુ દરેક ગામમાંથી બે થી ચાર વ્યક્તિઓને યોગ શિક્ષક
તરીકે તૈયાર કરવાનો છે. ગુજરાત યોગ બોર્ડ દ્વારા આ તાલીમાર્થીઓને 100 કલાકની સઘન તાલીમ
આપવામાં આવશે, જેથી તેઓ પોતાના ગામમાં યોગ વર્ગો શરૂ કરી શકે. આ પ્રયાસ દ્વારા ગુજરાતને
365 દિવસ યોગ કરતું રાજ્ય બનાવવાનું લક્ષ્ય છે.
મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત યોગ બોર્ડ દ્વારા હવે રાજ્યના ગામડાઓમાં યોગનો પ્રચાર
કરવામાં આવશે. આ માટે દરેક ધારાસભ્યના સહયોગથી ‘યોગ સંવાદ અને યોગ શિબિર’ કાર્યક્રમો
યોજાશે. ખેરાલુ ગ્રામ્ય વિસ્તારમાં આવા સૌપ્રથમ યોગ ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ
યોજના હેઠળ ગામના યુવાનોને 100 કલાકની તાલીમ આપીને યોગ ટ્રેનર બનાવવામાં આવશે, જેઓ
ગામડે-ગામડે યોગના વર્ગો ચલાવશે. આ ટ્રેનરોને ગુજરાત યોગ બોર્ડ દ્વારા માનદ વેતન પણ
આપવામાં આવશે.આ પહેલના ભાગરૂપે, દરેક ધારાસભ્યના માર્ગદર્શનમાં ‘યોગ સંવાદ અને યોગ
શિબિર’ નું આયોજન કરવામાં આવશે.આનો પ્રથમ પ્રયોગ ખેરાલુ ગ્રામ્ય વિસ્તારમાં ધારાસભ્ય સરદાર
ચૌધરીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક કરવામાં આવ્યો છે,ખેરાલુ બાદ બીજો કાર્યક્રમ વિધાનસભા
અધ્યક્ષ શંકર ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાશે.