Tuesday, April 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જાફરાબાદ દરિયો ગાંડોતૂર : 3 બોટ દરિયામાં ડૂબી, ૧૬ ખલાસીઓનો બચાવ

૧૧ માછીમાર લાપતા બનતા માછીમાર સમાજમાં ચિંતા વ્યાપી,સમગ્ર તંત્ર બચાવ કામગીરીમાં જોડાયું

dharmendravaghela by dharmendravaghela
2025-08-20 12:11:10
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયો ગાંડોતૂર બનતા ત્રણ બોટો ડૂબી જવાના કારણે હાહાકાર મચ્યો છે.

જાફરાબાદની ‘જય તાત્કાલિક’ તથા ‘દેવકીનંદન’ બોટ તથા ઊના તાલુકાના રાજપરા ગામની ‘મુરલીધર’

બોટ દરિયામાં ડૂબી ગઈ હતી. અચાનક જાફરાબાદના દરિયામાં ઉફાન આવતા આ દુર્ઘટના સર્જાઈ

હોવાનું માનવામાં આવી રહ્યું છે.
જાફરાબાદની ‘જય તાત્કાલિક’ તથા ‘દેવકીનંદન’ બોટ તથા ઊના તાલુકાના રાજપરા ગામની ‘મુરલીધર’

બોટ મળી ત્રણેય બોટમાં કુલ મળી ૨૭ જેટલા ખલાસીઓ સવાર હતા. જેમાંથી ૧૬ જેટલાં ખલાસીઓને

સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. પરંતુ હજુ પણ ૧૧ ખલાસીઓ દરિયામાં લાપતા હોવાનું બહાર

આવ્યું છે.આ ઘટનામાં બચાવાયેલા ખલાસીઓને તાત્કાલિક જાફરાબાદ હોસ્પિટલમાં સારવાર માટે

ખસેડવામાં આવ્યા છે. મોડી રાત્રીના સમયે રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી હોસ્પિટલ

પહોંચીને ૪ જેટલા ખલાસીઓની મુલાકાત લીધી હતી. અને વહીવટીતંત્રને પણ તાત્કાલિક રાહત-બચાવ

કામગીરી તેજ કરવાની સૂચના આપી હતી.ધારાસભ્યએ જણાવ્યું હતું કે, “આ દુર્ઘટનાની જાણ થતાં જ

સમગ્ર તંત્ર બચાવ કામગીરીમાં જોડાયું છે. અને અમરેલીનું વહીવટી તંત્ર પણ જાફરાબાદ ખાતે પહોંચી

રહ્યું છે.” તેમણે આશ્વાસન આપ્યું કે લાપતા ખલાસીઓને શોધવા માટે દરિયાઈ બચાવ દળ સહિત

તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અને રાજ્ય સરકાર પણ આ બાબતે સતત ચિંતિત છે.
આ ઘટના બાદ માછીમાર સમાજમાં ભારે ચિંતાની લાગણી વ્યાપી છે. દરિયો ગાંડોતૂર બનતા

માછીમારોમાં ભયનો માહોલ છે અને માછીમારોના પરિવારજનો બોટમાં સવાર લાપતા સગાઓ માટે

વ્યાકુળતા અનુભવી રહ્યા છે. હાલ દરિયામાં તોફાની પવન અને ઊંચી મોજાઓ હોવાને કારણે બચાવ

કામગીરી મુશ્કેલ બની રહી છે, છતાં તંત્ર સતત પ્રયાસ કરી રહયું છે. જાફરાબાદના કિનારે લોકો મોટી

સંખ્યામાં એકઠા થયા છે.

Tags: 11 fisherman missingboat sinksjafrabad
Previous Post

રશિયા પર દબાણ લાવવા ટ્રમ્પે ભારત પર વધુ ટેરિફ લગાવ્યા: કેરોલિન લેવિટ

Next Post

Transform Your Trading Experience with Dexscreener Tools

dharmendravaghela

dharmendravaghela

Related News

સોના-ચાંદીનો ભાવ વિક્રમી સ્તરે પહોંચતા જ્વેલર્સની ચિંતા વધી
તાજા સમાચાર

ગુજરાતમાં અખાત્રીજના દિવસે ૧૦૦ કિલો સોનાનું થયું વેચાણ

April 20, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં ૩૩ વર્ષ બાદ વાઘના કાયમી વસવાટ માટે કવાયત હાથ ધરવામાં આવી

April 20, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ અંગે કોંગ્રેસનો સરકારને સવાલ

April 20, 2026
Next Post

Transform Your Trading Experience with Dexscreener Tools

ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં તમામ દરવાજા ખોલવામાં આવ્યા

ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં તમામ દરવાજા ખોલવામાં આવ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.