પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં મંગળવારે આખી રાત થયેલા મૂશળધાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે, તેમજ વીજળીનો કરંટ લાગવાથી અત્યાર સુધીમાં કુલ 5 લોકોના મોત થયા છે. છેલ્લા 6 કલાકમાં શહેરમાં 250 મિલીમીટરથી વધુ વરસાદ પડ્યો, જેના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું છે.
કોલકાતામાં રાત્રિ દરમિયાન પડેલા સતત વરસાદને કારણે રેલ, મેટ્રો અને હવાઈ સેવાઓ પ્રભાવિત થઈ છે. સિયાલદહ સ્ટેશન પાસે રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે સવારથી ટ્રેન સેવાઓ ખોરવાઈ છે. જેના પરિણામે, ચક્રરેલની અપ અને ડાઉન લાઈન સેવાઓ, તેમજ સિયાલદહની દક્ષિણ શાખા પરની ટ્રેન સેવાઓ હાલમાં બંધ છે. આ જ રીતે, હાવડા ડિવિઝનના મુસાફરો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.હવામાન વિભાગની આગાહીથી કોલકાતાના લોકોની મુશ્કેલી વધી છે, કારણ કે શહેરમાં હજુ વધુ વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લૉ-પ્રેશર એરિયાને કારણે દક્ષિણ બંગાળના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થવાનો અંદાજ છે. કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, દક્ષિણ અને પૂર્વ ભાગોમાં વરસાદની તીવ્રતા વધુ હતી, જ્યાં ગરિયા કામદારીમાં 332 મિલીમીટર અને જોધપુર પાર્કમાં 285 મિલીમીટર જેટલો ભારે વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, કાલીઘાટમાં 280 મિલીમીટર અને તોપસિયામાં 275 મિલીમીટર જેવો ભારે વરસાદ થયો