Friday, November 7, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

PM મોદી મારા મિત્ર છે, હું ચોક્કસ ભારત જઈશ: ડોનાલ્ડ ટ્રમ્પ

વ્હાઇટ હાઉસમાં અનેક ભારતીય-અમેરિકી અધિકારીઓ સાથે દિવાળીની ઉજવણી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે PM નરેન્દ્ર મોદી સાથે સીધી વાત પણ કરી હતી: વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલિન લેવિટ

dharmendravaghela by dharmendravaghela
2025-11-07 12:28:57
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારત સાથેના વેપાર કરારો વિશે ચાલી રહેલી વાતચીતના સવાલો પર ગુરુવારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘વાતચીત સારી ચાલી રહી છે. ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું લગભગ બંધ કરી દીધું છે. PM મોદી મારા મિત્ર છે અને અમે વાત કરીએ છીએ. તે ઈચ્છે છે કે હું ત્યાં જાઉં. અમે આ અંગે વિચારણા કરીશું, હું જઈશ. વડાપ્રધાન મોદી એક મહાન વ્યક્તિ છે અને હું ચોક્કસ જઈશ.’ વોશિંગ્ટન દ્વારા ભારે ટેરિફ લાદવાના નિર્ણયને કારણે ડોનાલ્ડ ટ્રમ્પ આ વર્ષના અંતમાં યોજાનારા ‘ક્વાડ’ શિખર સંમેલન માટે ભારત આવવા ઈચ્છતા નહોતા; જોકે, તેના થોડા મહિના પછી, તેમણે આવતા વર્ષે ભારત આવવાની યોજના વિશે પૂછવામાં આવતાં કહ્યું, ‘હા, એવું થઈ શકે છે, હું ભારતની મુલાકાત લઈશ.’
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં કહ્યું કે, ‘મેં જે 8 યુદ્ધોનો અંત લાવ્યો, તેમાંથી 5-6 તો ટેરિફને કારણે જ સમાપ્ત થયા હતા. જો તમે ભારત અને પાકિસ્તાનને જુઓ, તો તેમણે લડાઈ શરૂ કરી દીધી હતી, તેઓ બે પરમાણુ સંપન્ન રાષ્ટ્રો હતા. 8 વિમાન તોડી પાડવામાં આવ્યા અને મેં કહ્યું, સાંભળો, જો તમે લડવાના છો, તો હું તમારા પર ટેરિફ લગાવીશ અને તેઓ તેનાથી ખુશ નહોતા. 24 કલાકની અંદર, મેં યુદ્ધનો ઉકેલ લાવી દીધો. જો મારી પાસે ટેરિફનું હથિયાર ન હોત, તો હું યુદ્ધનો ઉકેલ લાવી શક્યો ન હોત.’ વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલિન લેવિટે આ પહેલાં દ્વિપક્ષીય સંબંધોને સુધારવા માટે ટ્રમ્પની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી હતી અને ભારતને અમેરિકા માટે એક મહત્ત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યો હતો.લેવિટે કહ્યું, ‘ટ્રમ્પ ભારત અને અમેરિકાના સંબંધોને લઈને ગંભીર છે. તેમણે થોડા અઠવાડિયા પહેલાં વ્હાઇટ હાઉસમાં અનેક ઉચ્ચ પદસ્થ ભારતીય-અમેરિકી અધિકારીઓ સાથે દિવાળીની ઉજવણી દરમિયાન PM નરેન્દ્ર મોદી સાથે સીધી વાત પણ કરી હતી.’
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત દ્વારા રશિયન તેલની ખરીદી પર અમેરિકા દ્વારા 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યા પછી નવી દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચે વેપાર મંત્રણા ચાલુ છે, જેમાં 25 ટકા વધારાનો ડ્યૂટી પણ સામેલ છે. થોડા અઠવાડિયા પહેલાં જ, તેમણે વ્હાઇટ હાઉસમાં ઓવલ ઓફિસમાં અનેક ભારતીય-અમેરિકી અધિકારીઓ સાથે દિવાળીની ઉજવણી કરી ત્યારે વડાપ્રધાન સાથે સીધી વાત પણ કરી હતી.આ બધા વચ્ચે, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, ‘ભારત તેલ અને ગેસનું એક મહત્ત્વનું આયાતકાર છે. અસ્થિર ઊર્જાના માહોલમાં ભારતીય ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવું એ અમારી સતત પ્રાથમિકતા રહી છે. અમારી આયાત નીતિઓ સંપૂર્ણપણે આ જ ઉદ્દેશ્યથી દોરવાયેલી છે.’

Tags: modi trump karoline leavittUSA
Previous Post

Nowe Wzorce Gry i Wypłat w Kasynie Online Wintopia

Next Post

રાજ્યમાં PMJAY-મા યોજનામાં ગેરરીતિ આચરતી 4 હોસ્પિ. સામે કડક કાર્યવાહી

dharmendravaghela

dharmendravaghela

Related News

પંજાબના પૂર્વ DGP અને મંત્રી સામે CBI દ્વારા FIR
તાજા સમાચાર

પંજાબના પૂર્વ DGP અને મંત્રી સામે CBI દ્વારા FIR

November 7, 2025
અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે ફરી ભયંકર ગોળીબાર, 5ના મોત
આંતરરાષ્ટ્રીય

અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે ફરી ભયંકર ગોળીબાર, 5ના મોત

November 7, 2025
દિલ્હીમાં ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખોટકો
તાજા સમાચાર

દિલ્હીમાં ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખોટકો

November 7, 2025
Next Post
રાજ્યમાં PMJAY-મા યોજનામાં ગેરરીતિ આચરતી 4 હોસ્પિ. સામે કડક કાર્યવાહી

રાજ્યમાં PMJAY-મા યોજનામાં ગેરરીતિ આચરતી 4 હોસ્પિ. સામે કડક કાર્યવાહી

પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું ૮૫ વર્ષની વયે નિધન

પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું ૮૫ વર્ષની વયે નિધન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.